મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » જન્માષ્ટમી વિશેષ » ભગવાન શ્રી કૃષ્ણ
Bookmark and Share Feedback Print
 

W.D

પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. હકીકત તો તે હતી કે આ સમયે ચારે બાજુ પાપકૃત્ય થઈ રહ્યાં હતાં. ધર્મ નામની બધી જ વસ્તુઓ મરી પરવારી હતી. જેથી કરીને ધર્મને સ્થાપીત કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.

શ્રીકૃષ્ણની અંદર એટલા બધા અમિત ગુણો હતાં કે તેમને પોતાને પણ જાણ ન હતી. પછી અન્યની તો વાત જ શુ કરવાની? બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે આવી રીતે કૃષ્ણનું ગુણાનુવાદ અત્યંત પવિત્ર છે. શ્રીકૃષ્ણથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ હતી. સંપુર્ણ પ્રાકૃતિક પદાર્થ, પ્રકૃતિના કાર્ય સ્વયં શ્રીકૃષ્ણના હાથમાં જ હતું. શ્રીકૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મને જળમૂળથી ઉખાડી ફેંક્યો અને તેની સ્થાને ધર્મને સ્થાપિત કરી દિધો. બધા જ દેવતાઓમાં શ્રીકૃષ્ણ જ એવા હતાં જે આ પૃથ્વી પર સોળ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતાં. તેમણે જે પણ કાર્યો કર્યા તેને પોતાના મહત્વપુર્ણ કાર્યો સમજ્યાં હતાં. પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે તેમણે સામ-દામ- દંડ- ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. કેમકે તેમનો આ પૃથ્વી પર અવતાર લેવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે પૃથ્વી [પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવો. પોતાના આ ઉદ્દેશ્યને પુર્ણ કરવા માટે તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું. તેમણે કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતાં તેમણે ગીતાની રચના કરી હતી જે આજના કળયુગની અંદર હિંદુ ધર્મમાં સૌથી મહત્વની છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ભગવાન કૃષ્ણ