મુખપૃષ્ઠ > ધર્મ > તહેવારો > મહાશિવરાત્રિ > શ્રી શિવ સહસ્રનામ સ્‍તોત્રમ્‌
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રી શિવ સહસ્રનામ સ્‍તોત્રમ્‌

W.D
સહસ્રનામ જપ કેવી રીતે કરશો?

ઈશ્વરનું સ્‍મરણ અને જપ કરવાનો કોઈ એક નક્કી ઢંગ નથી, તે છતાં પણ કોઈ પણ કાર્યને એવા ઢંગથી કરવામાં આવે, જેનાથી તે સહજ રૂપથી સંપન્ન થઈ જાય. જપાદિ વગેરે માટે પણ આવું જ ચિત્રવૃત્તિ નિરોધક વિધિ આપણા ઋષિ-મહર્ષિયોંએ નિર્ધારિત કરી છે. આ વિધિ દ્વારા જપાદિ કરવાથી પ્રાણી માત્રને એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને સાધનાનું અનંત ફળ પ્રાપ્ત થાય છે, જેટલી વધારે એકાગ્રતા હશે, એટલો જ લાભ થશે. શ્રી શિવ સહસ્રનામ પાઠ કરવા માટે સર્વપ્રથમ ભગવાન શિવનું આહ્વાન તેમજ પૂજા કરો. પૂજનમાં સર્વપ્રથમ આસન અર્પિત કરો-

ૐ શ્રી સામ્‍બ સદાશિવાય નમઃ, આસનં સમર્પયામિ

તત્‍પશ્ચાત પગને ધોવા માટે જળ સમર્પિત કરો- પાદ્યં સમર્પયામિ,

અઘ્‍ર્ય અર્પિત કરો- અઘ્‍ર્યં સમર્પયામિ,

આચમન અર્પિત કરો- આચમનીયં સમર્પયામિ,

સ્‍નાન હેતુ જળ સમર્પિત કરો- સ્‍નાનાર્થં જલં સમર્પયામિ,

તિલક હેતુ દ્રવ્‍ય અર્પિત કરો- ગંધં સમર્પયામિ,

ધૂપ-દીપ દેખાડો- ધૂપં-દીપં દર્શયામિ,

પ્રસાદ અર્પિત કરો- નૈવેદ્યં નિવેદયામિ,

આચમન હેતુ જળ અર્પિત કરો- આચમનીયં સમર્પયામિ,

તત્‍પશ્ચાત નમસ્‍કાર કરો- નમસ્‍કરોમિ.

તત્‍પશ્ચાત માળા લઈને નામ જપ અથવા પાઠ કરવો જોઈએ. જપ કે પાઠ કરવા માટે તુલસી કે રુદ્રાક્ષની માળા જ ઉત્તમ માનવામાં આવે છે. માલા જમણા હાથમાં ધારણ કરવી જોઈએ. શ્રી શિવ સહસ્રનામ યુગોં-યુગોંથી અભીષ્ટ ફળદાયક છે.
1 | 2 | 3 | 4 | 5  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્ર
મહામૃત્યુંજય મંત્રનો જાપ ક્યારે કરવો?
મહામૃત્યુંજય જપમાં સાવધાનિઓ