મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ

સવારે જ્યારે બધા રાક્ષસ ચોકીદાર ઉંધમાંથી ઉઠ્યા. તે સમયે કંસે આવીને દ્રારપાલને પૂછ્યુ કે - દેવકીના ગર્ભમાંથી શુ થયુ ? આ વાતની મને જલદી જાણ કરો. દ્રારપાલે અંદર જઈને જોયુ તો દેવકીના ખોળામાં એક બાળકી હતી. જેને જોઈને કંસને સંદેશો આપ્યો. કંસને તો તે બાળકીથી પણ ભય લાગતો હતો. આથી તે સ્વયં તે જેલમાં ગયો અને દેવકીના ખોળામાંથી બાળકીને છીનવી અને તેને એક પત્થર પર પછાડી પરંતુ તે કન્યા વિષ્ણુની માયાથી આકાશ તરફ ચાલી ગઈ અને અંતરિક્ષમાં જઈને એક વીજળી બની ગઈ અને કંસને બોલી -' હે દુષ્ટ તને મારવાવાળો તો ગોકુળમાં નંદના ઘરે જન્મી ચૂક્યો છે. અને તારુ મૃત્યુ તેનાથી નિશ્ચિત છે. હું તો વિષ્ણુની માયાથી ઉત્પન્ન થયેલી વૈષ્ણવી છું. આટલુ કહીને તે સ્વર્ગમાં ચાલી ગઈ. કંસ આ આકાશવાણી સાંભળી ક્રોધિત થઈ ગયો. તેણે નંદજીના ઘરે પૂતના રાક્ષસીને કૃષ્ણનો વધ કરવા માટે મોકલ્યો. પરંતુ જ્યારે તે રાક્ષસી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગી ત્યારે કૃષ્ણએ તેમને સ્તન વડે રાક્ષસીના પ્રાણ ખેંચી લીધા. અને તે રાક્ષસી કૃષ્ણ-કૃષ્ણ કહીને મરી ગઈ.
કંસને જ્યારે પૂતનાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેણે કૃષ્ણનો વધ કરવા મશ કેશી નામના દૈત્યને ઘોડાના રૂપમાં મોકલ્યો. ત્યાર પછી અરિષ્ઠ નામના દૈત્યને બળદના રૂપે મોકલ્યો પણ આ બંને પણ કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા. ત્યારપછી કંસે કાલ્યાખ્ય નામના દૈત્યને કાગડાના રૂપમાં મોકલ્યો. પણ તે માર્યો ગયો. હવે કંસ ગભરાઈ ગયો તેમંણે નંદલાલને બોલાવ્યા અને કહ્યુ કે તમને તમારો જીવ વહાલો હોય તો પારિજાતના ફૂલ લઈ આઓ અને નહી લાવો તો તમારો વધ નક્કી છે.

કંસની વાત સાંભળી નંદએ 'આવુ જ કરીશ' કહીને તે પોતાના ઘરે પાછા આવ્યા અને આવીને બધી વાત યશોદાને કરી જેને કૃષ્ણ પણ સાંભળી રહ્યા હતા. એક દિવસે કૃષ્ણ પોતાના મિત્રો સાથે યમુના નદીના કિનારે બોલ રમી રહ્યા હતા, ત્યારે તેમણે જાણી જોઈને દડાને પાણીમાં નાખી દીધો. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તો પારિજાત લાવવાનો હતો. છેલ્લે તે કદમ્બના ઝાડ પર ચઢીને યમુના નદીમાં કૂદી પડ્યા. જ્યારે યશોદાને આ વાતની ખબર પડી ત્યારે તે દોડીને યમુના તટે આવી પહોંચી, અને તેમણે યમુના નદીને પ્રાર્થના કરીને કહ્યુ - હે યમુના જો મારા બાળકને જોઈશ તો ભાદરવાની આઠમનું વ્રત જરૂર કરીશ. હજારો અશ્વમેધ યજ્ઞ, રાજસૂય યજ્ઞ . દાન, તીર્થ અને વ્રત કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે બધા કૃષ્ણ જન્માષ્ટમી કરવાથી થાય છે.
<< 1 | 2 | 3 | 4  >>  
ઘણું બધુ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં વ્રત-પૂજા કરો
શીતળામાતાની વાર્તા
નાગપંચમીમાં નાગની પૂજા કરો
કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ
કેદારનાથ જ્યોતિર્લીંગ
જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર