મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-અર્ચના
કલ્યાણી દેશમુખ
W.DW.D

શ્રીકૃષ્ણ વ્રતની પૂજા જન્માષ્ટમીના દિવસે કે પછી કોઈપણ દિવસે કરવા માંગતા હોય, નાહીને કોરાં કે ધોયેલા વસ્ત્રો પહેરો. માથા પર તિલક લગાવો. અને શુભ મૂહૂર્તમાં પૂજા શરુ કરો. આ માટે શુભ આસન પર પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોં કરીને શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરો. પોતાની જાણકારી માટે પૂજા શરુ કરતાં પહેલાં પ્રસ્તુત પધ્ધતિ એક વાર જરૂર વાંચો.

પવિત્રીકરણ -
ડાબા હાથમાં પાણી લઈને જમણા હાથની અનામિકા વડે નીચેના મંત્ર બોલી પોતાના ઉપર અને બીજી પૂજન સામગ્રી પર પાણી છાંટો.

ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा ।
यः स्मरेत्‌ पुण्डरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः ॥
पुनः पुण्डरीकाक्षं, पुनः पुण्डरीकाक्षं, पुनः पुण्डरीकाक्षं

આસન -
નીચે આપેલ મંત્રનો ઉચ્ચાર કરી પોતાના આસન પર ઉપર જણાવ્યા મુજબ પાણી છાંટો.

ॐ पृथ्वी त्वया घता लोका देवि त्वं विष्णुना धृता ।
त्वं च धारय मां देवि पवित्रं कुरु च आसनम्‌

આચમન -
ત્યારપછી જમણાં હાથમાં પાણી લઈને ત્રણવાર આચમન કરો અને ત્રણ વાર કહો -
१. ॐ केशवाय नमः स्वाहा,
२. ॐ नारायणाय नमः स्वाहा,
३. माधवाय नमः स्वाहा
હવે આ બોલીને હાથ ધોઈ લો
- ॐ गोविन्दाय नमः हस्तं प्रक्षालयामि

દીવો - દીવો પ્રગટાવો ને હાથ ધોઈને દીવાની ફૂલ અને કંકુ વડે પૂજા કરો.

भो दीप देवरुपस्त्वं कर्मसाक्षी ह्यविन्घकृत ।
यावत्कर्मसमाप्तिः स्यात तावत्वं सुस्थिर भव
(પૂજા કરી પ્રણામ કરો)
1 | 2  >>  
ઘણું બધુ
શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં વ્રત-પૂજા કરો
શીતળામાતાની વાર્તા
નાગપંચમીમાં નાગની પૂજા કરો
કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ
કેદારનાથ જ્યોતિર્લીંગ