રામ અને કૃશ્ણ બંને અલગ-અલગ પરંપરાના છે. કૌટિંબિક એકતાની દ્રષ્ટિને સામે રાખીને રામે સમાજને વિકાસનો માર્ગ બતાવ્યો. દંભી,લુચ્ચા,સ્વાર્થ અને કપટી આપણાં સ્વજનો હોય ના શકે, ભલે તે મામા,માસી અને ફુઆ હોય.જો તેઓ આપણા સાંસ્કૃતિક કામોમાં વચ્ચે આવે છે તો તેમને ચોટી પકડીને ફેંકી દો.આ કૃશ્ણની નિતી હતી. સંસ્કૃતિપ્રેમી પાંડવો માટે તે માર્ગદર્શક રહ્યાં છે. અર્જુનના રથની માફક તેમના જીવનના રથને પ્રભુ સંભાળતા હતાં. મુશ્કેલીઓમાં તેઓ પાંડવોને બચાવતાં રહ્યાં છે.
શ્રીકૃષ્ણની મૂર્તિ જોતાં લાગે છે કે તે મોરલી કેટલી ભગ્યશાળી છે જેને તેઓ પોતાના મધુર હોઠો પર ધારણ કરતાં હતાં, અને જેમાંથી મધુર સંગીત વહેતુ હતુ. તે મોરપંખ કેટલુ ભાગ્યશાળી છે જેને તેઓ પોતાના મસ્તિષ્ક પર ધારણ કરતાં હતાં.તેમની પાસે ઉભેલી ગાય કેટલી ભગ્યશાળી છે જેના પર તેઓ પ્રેમથી હાથ ફેરવે છે.
ભગવાન કેવળ ભાવનાના ભૂખ્યાં છે ભાવનાથી રાખવામાં આવેલી રૂકમણિના એક તુલસીના પાનથી તોલ્યાં હતાં. દુર્યોધનના 56 ભોગને ત્યાગીને વિદુરની ભાજીને પ્રેમથી ખાધી હતી. પરંતુ જેમને ભાવનાથી તેમનું કામ કરવાની તૈયારી બતાવી છે.
શ્રીકૃષ્ણનો જન્મ ગોકુળમાં થયો હતો.ગોકુળનો અર્થ શરીર થાય છે. 'ગો' એટલે ઇંદ્રિઓ અને કુળ એટલે સમૂહ. જ્યાં ઇંદ્રિઓનો સમૂહ છે.તે ગોકુળ છે. ગોકુળમાં નૃત્ય-સંગીત નહી પરંતુ મોરલી વાગે છે.
આ દ્રષ્ટિએ જોતાં સાચા અર્થમાં કૃષ્ણ જગતગુરૂ બનવા યોગ્ય છે.કૃષ્ણએ ગીતા જેવું અદભૂત તત્વજ્ઞાન આપ્યું છે.ગીતમાં કોઇ જગ્યાએ આગ્રહ નથી.
|