અનંત,અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સમૃધ્ધિ આપનાર, વિધ્નહર્તા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રૂપ,પ્રચંડ તેજવાળા શ્રી ગણેશે સૃષ્ટિ પ્રારંભ થવાથી માંડીને અત્યાર સુધી એટલા અવતાર લઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. 'ગણેશ'ના અનેક અવતરણોમાં થી કતિપય મુખ્ય છે. તેમના મુખ્ય અવતારોમાં નિમ્ન અવતાર પ્રખ્યાત છે.
- વક્રતુંડ - લંબોદર - એકદંત - વિકટ - મહોદર - વિધ્નરાજ - ગજાનન - ધૂમ્રવર્ણ
ભગવાન ગણેશના ઉપર જણાવેલા મુખ્ય આઠ અવતારોની સંપૂર્ણ લીલાઓના ગુણગાન કરવામા અમારી ઉંમર પણ ઓછી પડશે. અમે આ લેખમાં ગણેશના વક્રતુંડ અવતારની સંક્ષેપમાં પુરાણોમાં વર્ણવેલી કથાનું વર્ણન કરીને, તેમાં રહેલા આધ્યાત્મિક તત્વોના જ્ઞાનની શોધખોળ કરવાની કોશિશ કરીશું. સૂક્ષ્મ શોધમાં તો આ માનવ જીવન વ્યતિત જ થઈ જશે. જો ભગવાન ગણેશની અપ્રતિમ કૃપાથી વક્રતુંડનુ સ્થૂળ રહસ્ય પણ સમજમાં આવી જશે. તો અમારું જીવન કૃત્ય કૃત્ય થઈ જશે.
આપણે નીચેનામાંથી બે વિભાગોમાં શ્રી ગણેશના અવતારોનું અધ્યયન કરીશુ.
- જુની કથા અને વર્ણન - તેમાં રહેલો દિવ્ય સંદેશની પ્રસ્તુતિ જે કે અમારા આ લેખનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
જુની કથા અને વર્ણન -
આ અવતારના સંબંધમાં પુરાણોમાં આ કથા બતાવવામાં આવી છે.-
એક સમયની વાત છે. દેવરાજ ઈન્દ્રને ખૂબ નશો આવ્યો. આ નશાના કારણે એક બાળકનો જન્મ થયો જે 'મત્સરાસુર' ના નામે પ્રસિધ્ધ થયો. બાળક ઝડપથી મોટો થવા લાગ્યો આ બાળકે પોતાની નાનકડી આયુમાં જ દૈત્ય ગુરૂ શુક્રાચાર્યને પોતાની સેવાથી પ્રસન્ન કરી લીધા. દૈત્ય ગુરૂ શુક્રાચાર્યએ પ્રસન્નતાથી તેને શિવનો પંચાક્ષર મંત્ર આપીને આશીર્વાદ આપ્યો કે ' હે બાળક, આ મંત્ર થી તુ ખૂબ સામર્થ્ય શાળી બન, જેથી મનુષ્ય શુ દેવતા પણ તારી સાથે હરીફાઈ ન કરી શકે.
ગુરૂની આજ્ઞા મેળવી બાળકે કઠોર તપ પ્રારંભ કરી દીધુ. મત્સરાસુરના તપની એકનિષ્ઠતા અને કઠોરતાથી માઁ પાર્વતી પણ પ્રસન્ન થયા. તેમણે ભગવાન શિવની સાથે બાળકને દર્શન આપ્યા. શિવ-પાર્વતીના દર્શન મેળવી મત્સરાસુરે તે બંનેને પ્રણામ કર્યા, શ્રધ્ધા અને પ્રેમપૂર્વક તેમની સ્તુતિ કરી. મત્સરાસુરની તપનિષ્ઠતા અને શ્રધ્ધાપૂર્ણ સ્તુતિ સાંભળી દેવાધિદેવ મહાદેવે વરદાન આપ્યુ - ' તને સંસારમાં કોઈની પણ બીક નહી રહે' ભગવાન શિવનું વરદાન મેળવી મત્સરાસુર પોતાના ગુરૂદેવ શુક્રાચાર્યને પ્રણામ કરવા પહોચ્યો. શુક્રાચાર્યએ તેનાથી ખુશ થઈને તેને દૈત્યરાજના પદ પર બેસાડી દીધા.
|