ગુદ્ગલ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ, પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને અષ્ટવિનાયક પણ કહે છે. અમે અહી અષ્ટવિનાયકની એકદમ સંક્ષેપ જાણકારી રજૂ કરી છે. તમને જે અવતાર વિશે જાણવું હોય તેના પર ક્લિક કરો.
* વક્રતુંડ * એકદંત * મહોદર * ગજાનન * લંબોધર * વિકટ * વિધ્નરાજ * ધૂમ્રવર્ણ
અષ્ટવિનાયકની મંગલમયી લીલાઓનું પઠન, શ્રવણ અને મનન-ચિંતન લોકો માટે ધણુ કલ્યાણકારી છે. અવતારોનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ તો છે જ, આ ઉપરાંત આનાથી પણ વધુ આધ્યાત્મિક મહત્વ છે. શ્રી ગણપતિ સર્વવ્યાપી પરમાત્મા સૌના હૃદયમાં કાયમ બિરાજમાન રહે છે. આસુરી સંપત્તિના પ્રતિક હોવાથી તેમને 'અસુર' કહેવાય છે. આ આસુરી વૃત્તિયોથી મુક્ત થવાનો અચૂક ઉપાય છે - 'ભગવાન ગણપતિનું ચરણાશ્રય' . તેથી આ આસુરી વૃત્તિયોના દમન અને દૈવી સંપત્તિની વૃધ્ધિ માટે પરમ પ્રભુ ગણપતિનું મંગલમય સ્મરણ કરવું જ બધા માટે હંમેશા શ્રેષ્ઠ છે. અને આ જ આ અવતાર કથાઓનો સંદેશ છે.
વક્રતુંડ - वक्रतुण्डावतारश्च देहानां ब्रह्मधारकः। मत्सरासुरहन्ता स सिंहवाहनगः स्मृतः॥
વક્રતુંડાઅવતાર' શરીર બ્રહ્મને ધારન કરવાવાળા છે. તે મત્સરાસુરના સંહારક અને સિંહ વાહન પર ચાલવાવાળા માનવામાં આવે છે.
પ્રલયના અનંતર સુષ્ટિ નિર્માણમાં અનેક બાધાઓ ઉત્પન્ન થતાં લોક પિતામહે ષડક્ષરી મંત્ર('વક્રતુંડાય હુમ') નો જાપ કરીને ગણેશને સંતુષ્ટ કરવા માટે કઠોર તપસ્યા કરવાનું ચાલુ કરી દીધુ. તેમના તપથી પ્રસન્ન થઈને વક્રતુંડ પ્રકટ થયા અને વિધાતાને મનવાંછિત ફળ પ્રાપ્ત થયા. ત્યાર પછી તે સૃષ્ટિ કાર્ય કરવામાં સમર્થ થઈ ગયા.
લોક પિતામહના કંપથી દંભનો જન્મ થયો. તેમને સૃષ્ટાને પ્રસન્ન કરવા માટે બહુ કઠોર તપસ્યા કરી. પદ્મયોનિએ સંતુષ્ટ થઈને તેને સર્વત્ર નિર્ભયતાનું વરદાન આપ્યું.
ત્યારે દંભે પોતાને માટે એક સુંદર નગરનું નિર્માણ કરાવ્યું. અને ત્યાં જ રહેવા માંડ્યો. દૈત્ય ગુરૂ શુક્રાચાર્યએ તેને દૈત્યાધિપતિના પદ પર બેસાડ્યો.
અજેય દંભાસુરે અત્યંત પરાક્રમી સૈનિકના મદદથી સંપૂર્ણ પૃથ્વીને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી. સ્વર્ગ, વૈકુંઠ અને કૈલાસ પર પણ પોતાનો અધિકાર કરી લીધો.
નિરાશ્રિત દેવગણ અત્યંત ચિંતિત અને દુ:ખી થઈને વિધાતાના પાસે ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ અત્યંત દુ:ખી મનથી પ્રાર્થના કરી કે હે પ્રભુ , અમારી રક્ષા કરો.
સમસ્ત દેવગણની સાથે બ્રહ્માએ એકાક્ષરી મંત્રથી વક્રતુંડનું હવન કર્યુ. વક્રતુંડ પ્રસન્ન થઈને દેવતાઓ સામે હાજર થયા. દેવતાઓએ કરુણામૂર્તિને વિનતી કરતાં કહ્યુ કે - 'દારિદ્રય દુ:ખ હરો પ્રભુ. દંભાસુરથી અમને ખૂબ તકલીફ થઈ રહી છે. તમે કૃપા કરીને અમને સુખ શાંતિ પ્રદાન કરો.
બધી મુશ્કેલીઓને હરનારા પરમ પ્રભુએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે ' હું દંભાસુરને પરાજિત કરીશ.'
ભગવાન વક્રતુંડે સુરેન્દ્રને પોતાના દૂત તરીકે દંભાસુર પાસે મોકલ્યો દૂતે અસુરને કહ્યુ - તમે પ્રભુની આજ્ઞા સ્વીકાર કરી લો. અને દેવતાઓને મુક્ત કરી તેમને સ્વાધીન રહેવા દો. નહિ તો પરમ પ્રભુ વક્રતુંડ સાથે યુધ્ધ કરવાથી તમારો સર્વનાશ નિશ્ચિત છે.
હું તમારો અહંકાર ચૂર કરી નાખીશ. - દંભનો આ ઉત્તર શચિપતિ વક્રતુંડ પાસે પહોંચ્યા.
આ ગણેશ કોન છે ? સિધ્ધિ-બુધ્ધિ તેમની કોણ છે ? તેમનું સ્વરૂપ કેવું છે. દૂતના ગયા પછી દંભે તરત જ શુક્રાચાર્ય પાસે જઈને તેમને પૂછ્યું. શુક્રાચાર્યએ તેમને ગણેશનું યથાર્થ સ્વરૂપ બતાવી દીધુ.
અમિત મહિમામય વક્રતુંડનુ દિવ્ય સ્વરૂપ જાણીને દંભાસુરના મનમાં શ્રધ્ધા જાગી. તેમને ગણેશના શરણે જવાનો નિર્ણય કર્યો. પરંતુ દૈત્યગણે તેનો વિરોધ કર્યો. દૈત્યપતિએ સૌની ઉપેક્ષા કરી અને નગરની બહાર મહોદર મહાકાય વક્રતુંડના ચરણોમાં પડીને તેમની સ્તુતિ કરતાં તેમની પાસે ક્ષમા માગી.
સહન દયામય ગણેશે તેને ક્ષમા કરી ભક્તિ આપી. દેવગણ સુખી થઈને નિશ્ચિતતાપૂર્વક પોતાનું કામ કરવા માંડ્યા.
|