ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર
|
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો.
ગામની અંદર પ્રવેશ કરતાં થોડુક અંતર કાપ્યાં બાદ મંદિરના મુખ્ય દ્વારના દર્શન થાય છે. આ મંદિરની ભવ્ય ઇમારત સિંધુ-આર્ય શૈલીનો એક અજોડ અને ઉત્કુષ્ટ નમૂનો છે... મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા પછી શિવલિંગની આકૃતિનું ફકત પ્રારૂપ દેખાય છે, પણ શિવલિંગ નહિ. તેને ધ્યાનથી જોતાં આકૃતિના પ્રારૂપમાં એક-એક ઇંચના ત્રણ શિવલિંગો જોવા મળે છે. આ લિંગોને ત્રિદેવ - બ્રહ્મા-વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે. પ્રાત:કાળની પૂજા થયાં બાદ આ પ્રારૂપ પર ચાંદીનો પંચમુખી મુગટ ચઢાવવામાં આવે છે. આ જૂનાં મંદિરનું પુનઃ ર્નિર્માણ ત્રીજાં પેશવા બાલાજી એટલે કે નાનાસાહેબ પેશવાએ કરાવ્યું હતું.
|
ત્રયંબકેશ્વરનું મંદિર અને ગામ બ્રહ્મગિરી નામક પહાડીની તળેટીમાં આવેલું છે. આ પહાડીને શિવ ભગવાનનું સાક્ષાત રૂપ માનવામાં આવે છે. અને આ જ પર્વત પર પવિત્ર નદી ગોદાવરીનું ઉદ્ગમસ્થાન છે. કહેવામાં આવે છે કે -
"પ્રાચીન કાળમાં ત્રયંબક ગૌતમ ઋષિનું તપોભૂમિ રહ્યું હતું. તેમના ઉપર લાગેલાં ગૌવધના આક્ષેપમાંથી મુક્ત થવા માટે તેમણે કઠોર તપ કરી ભગવાન શિવ પાસે ગંગાને અહીં અવતરિત(સ્થાપિત) કરવા માટેનું વરદાન માગ્યું. તે રીતે, દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરીનદીનું ઉદ્ગમ થયું હતું". - એક દંત કથા.
|
|
શિવરાત્રિ અને શ્રાવણ સોમવારના દિવસે અહિંયા ઘણાં બધાં શ્રદ્ધાળુઓ કતારો બનાવીને ઊભા હોય છે, ભક્તો વહેલી સવારે નાહ્યાં પછી તેમના આરાધ્ય દેવના દર્શન કરવા માટે આવે છે. અહિંયાની એક ખાસ વાત એ છે કે કાળ સર્પ યોગ અને નારાયણ નાગ બલી નામની ખાસ પૂજા-અર્ચના પણ થાય છે. જેના કારણે અહીં આખા વર્ષ દરમિયાન ઘણાં શ્રદ્ધાળુઓ અહિંયા આવતાં હોય છે.