લિંગોત્ભવ - યુગો પછી આ અગ્નિ શાંત થયો અને વર્તમાનમાં શ્રી અરૂણાચલેશ્વર રૂપમાં અહીં સ્થાપિત થયો. આ વાતનું પ્રમાણ અહીંનો પવિત્ર પર્વત છે. અહીં સ્થાપિત લિંગોત્ભવ નામની મૂર્તિમાં શિવને અગ્નિ રૂપમાં, વિષ્ણુને તેનાં ચરણો પાસે વરાહ રૂપમાં અને બ્રહ્માને હંસનાં રૂપમાં તેમના મસ્તક પાસે આકાશથી પડતુ ફૂલવાળુદ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. આ દ્રશ્યને બધા શિવ મંદિરોમાં ગર્ભગૃહ પાછળની દીવાલ પર અંકિત કરવામાં આવ્યું છે.
આ કારણે દર પૂનમમાં આ સ્થળે હજારો-લાખો શ્રદ્ધાળુઓ શિવની આરાધના કરવા ભેગા થાય છે. આ પર્વતની ચારેય તરફ તમોને અનેક નંદી દેવ પર્વતની તરફ મુખ કરીને જોવા મળશે કારણ કે આ પર્વતમાં શિવે પોતાને લિંગ રૂપમાં સ્થાપિત કર્યાં છે. પૌરાણિક દ્રષ્ટિએ આ પર્વત પ્રાચીન પર્વતોમાંથી એક માનવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ અને ભક્તોની પ્રાર્થના પર શિવે સ્વયંને આ મંદિરમાં લિંગ રૂપમાં સ્થાપિત કર્યા છે, જેથી તેના ભક્તો તેમના દર્શન કરી શકે. ચોલ વંશના સમયમાં આ મંદિર આ વિસ્તારમાં હતું અને અહીંથી પર્વતનાં રસ્તામાં 'આદિ અન્નામલૈયર' મંદિર પણ આવતું હતું. પર્વત સુધી પહોંચવાનાં રસ્તામાં ઇંદ્ર, અગ્નિદેવ, યમ દેવ, નિરૂતિ, વરૂણ, વાયુ, કુબેર અને ઇશાન દેવ દ્વારા પૂજા થતી એવી આઠ શિવલિંગોની સ્થાપના છે.
આ મંદિરમાં ઉઘાડા પગે જવાથી કોઇ પણ વ્યક્તિ પોતાના પાપોથી છુટકારો મેળવીને મુક્તિ મેળવી શકે છે. ભારતનાં દરેક ખૂણેથી બાળકો, યુવાઓ અને વૃદ્ધો પોતાનાં પાપને ધોવા માટે અહીં આવે છે. શ્રી રામન્ના મહર્ષિ અનુસાર જો તમે આ પવિત્ર સ્થળ વિશે વિચારશો તો તમે અહીં જરૂર પહોંચી જશો. આવું જ સંત શેષધારી સ્વામીમંગલનું પણ માનવું છે અહીં આવીને આગંતુકો જીવન ભરનાં સુખનો અનુભવ મેળવે છે.
કેવી રીતે જવું - રોડ માર્ગઃ ચેન્નઇથી આ સ્થળ 187 કિલોમીટર દૂર છે. અહીં તમે બસ અથવા ટેક્સી દ્વારા આવી શકો છો. રેલ માર્ગઃ રેલ માર્ગથી તમારે ફરીફરીને આવવું પડશે. અહીં આવવા ચેન્નઇથી ટિંડીવનમ અથવા વિલ્લુપુરમ પહોંચીને ત્યાંથી તિરૂવન્નામલાઇ માટે રેલ અથવા બસ પસંદ કરવી પડશે. હવાઇ માર્ગઃ ચેન્નઇ એર પોર્ટથી તિરૂવન્નામલાઇનું અંતર 175 કિલોમીટર છે.
શબ્દાર્થ (Glossary): કાર્તિગઇ દીપમઃ તામિલ મહિનો કાર્તિગઇ દરમિયાન આ પર્વત પર પ્રગટાવવામાં આવતી દિવ્ય જ્યોતિ અર્ણ્ણમઃ હંસ, ખુબસૂરત પક્ષી દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કરવાની ક્ષમતા રાખે છે.
થઝંબૂઃ શિવના શ્રાપનાં કારણે આ ફૂલનો પૂજામાં ઉપયોગ નથી કરવામાં આવતો.
|