મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમૃતસરનું સોનેરી સુવર્ણ મંદિર
જ્યાંના સરોવરમાં ભરાયેલું છે અમૃત
સુધીર કુમાર
W.DW.D

પ્રકાશ પર્વના શુભ પ્રસંગે વેબદુનિયા પરિવાર પોતાના બધા પાઠકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષાંભિનંદન પાઠવે છે. આ પ્રસંગે અમે તમારે માટે લાવ્યા છે અમૃતસરનું સુવર્ણ મંદિર. અમૃતસર... એક શહેરનું નામ, જેની ઓળખાણ છે ત્યાંના સુવર્ણ મંદિરથી. સોનેરી તેજ ધરાવતા આ મંદિરને શિખોનું સૌથી પવિત્ર ગુરૂદ્વારાનો દર્જો આપેલો છે. કહેવાય છે કે 16મી સદીમાં શિખોના ચોથા ગુરૂ રામદાસે એક તળાવના કિનારે ધામો નાખ્યો, જેના પાણીમાં અદ્ભૂત શક્તિ હતી. આ જ કારણે આ શહેરનું નામ અમૃત + સર (અમૃતનું સરોવર) પડ્યુ.
ફોટોગેલેરી જોવા અહીં ક્લિક કરો
ગુરૂ રામદાસે તળાવની વચ્ચે એક મંદિરનું નિર્માણ કરાવ્યું, જે આજે સુવર્ણ મંદિરના નામે પ્રખ્યાત છે. આ શહેરમાં એપ્રિલમાં બૈસાખીનો તહેવાર ઘૂમઘામથી ઉજવાય છે. આ દિવસે ગુરૂ ગોવિંદસિંહે શિખોને યોધ્ધા જાતિમાં પરિવર્તિત કરતા ખાલસા પંથની સ્થાપના કરી હતી. શિખ સંપ્રદાયને માનવાવાળા દરેક વ્યક્તિ ભલે તે દુનિયાના કોઈ પણ ખુણે કેમ ન રહેતો હોય, પોતાની જીંદગીમાં એક વાર દરબાર સાહેબના દરવાજે માથું ટેકવાની ઈચ્છા જરૂર રાખે છે.
W.DW.D

એતિહાસિક દસ્તાવેજોના મુજબ શિખોના ચોથા ગુરૂ રામદાસ સાહેબના મનમાં આ વિચાર આવ્યો હતો કે અરદાસને માટે એક એવો ગુરૂદ્વારા બનાવવામાં આવે, જેની સ્થિતિ શહેરના કેન્દ્રમાં હોય અને જ્યાં સુધી દરેક વ્યક્તિ સરળતાથી પહોંચી શકે. તેમના આ સપનાને હકીકતમાં ફેરવવાનું કામ કર્યુ પાઁચમાં ગુરૂ શ્રી અર્જુન સાહેબે. તેમના સપનાને સાર્થક કરવામાં બાબા બુડ્ઢાજીએ તેમની મદદ કરી. સુવર્ણ મંદિર ધાર્મિક સૌહાર્દની પણ જીવતી-જાગતી મિસાલ છે. આ મંદિરનો પાયો મુસ્લિમ સંત હજરત મિયાઁ મીરે ખોદયો હતો. મંદિરના ચાર દરવાજા પણ અહીંની એકતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવની ભાવનાને જ પ્રગટ કરે છે.
વિડીયો જુઓ
1 | 2  >>  
ફોટોગેલેરી
ફોટો ગેલેરી જોવા અહીં ક્લિંક કરો
ઘણું બધુ
કોલ્લૂર મુકામ્બિકા દેવી નું મંદિર
ગણપતિ બાપા મોરિયા રે
હરે રામા - હરે કૃષ્ણા
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર  
ભૂતભાવન-મનભાવન મહાકાળ