મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમૃતસરનું સોનેરી સુવર્ણ મંદિર
જ્યાંના સરોવરમાં ભરાયેલું છે અમૃત
W.DW.D

સુવર્ણ મંદિર શિખોનુ સૌથી વધુ મહત્વનું ધાર્મિક સ્થળ છે. જેને હરિ મંદિર પણ કહે છે. તેના ઘુમ્મટ પર શુધ્ધ સોનાની પાનના આવરણ છે, જે ધરતીની તરફ ફેલાયેલા છે. જેનો ઉદ્દેશ્ય છે કે શિખ દુનિયાની મુશ્કેલીઓ પ્રત્યે એક જાગૃત જાતિ છે. હરમંદિર સાહેબના ગુરૂદ્વારા સરોવરના વચ્ચે ખૂબ જ સુંદરતાથી બનાવવામાં આવ્યું છે. આ સોનાથી ઢંકાયેલા ગુરૂદ્વારાના ચારે દિશાઓ તરફ ખૂલતા દરવાજા બનાવવામાં આવ્યા છે. અહીં દરેક સમયે ગુરૂવાણી થતી રહે છે. અહીં અરદાસ કરી ચૂકેલા લોકોનું માનવું છે કે, હરમંદિર સાહેબમાં આવીને તેમને અલૌકિક શાંતિ મળી છે. જેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતી. આને તો બસ અનુભવી શકાય છે, અને તેથી દરેક વ્યક્તિને જીવનમાં એક વાર ત્યાં માથુ ટેકવા જરૂર જવું જોઈએ.

દુખભંજન બેરી -

સરોવરને અમૃતની ઉપમા આપવા પાછળની પણ એક રોચક કથા છે. એવી માન્યતા છે કે એક રાજકુમારી જે પોતાના પિતા કરતા વધુ ભગવાનને મહત્વ આપતી હતી....તેના કારણે તેને તેના પિતાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. તેના પિતાએ તેનું લગ્ન એક કોઢગ્રસ્ત વ્યક્તિ સાથે કરાવી દીધુ. રામદાસની ભક્ત આ રાજકુમારી તેમની સેવા કરવા માટે આ સરોવરની પાસે આવી. આ બોરડીના ઝાડની નીચે ભરેલા પાણીમાં ન્હાયા પછી તેનો પતિ કોઢથી મુક્ત થઈ ગયો. રાજકુમારીએ જ્યારે આ વાત તેમના ગુરૂ દેવને કરી તો તેમણે પ્રસન્નતાથી કહ્યું - આ જ તે જગ્યા છે જેને હું શોધી રહ્યો હતો. અહીં હરમંદિર સાહેબની સ્થાપના કરવામાં આવશે. આ જ કારણ છે કે અમૃતસરનું નામ અમૃતસર પડ્યુ.
વિડીયો જુઓ
<< 1 | 2 
ફોટોગેલેરી
ફોટો ગેલેરી જોવા અહીં ક્લિંક કરો
ઘણું બધુ
કોલ્લૂર મુકામ્બિકા દેવી નું મંદિર
ગણપતિ બાપા મોરિયા રે
હરે રામા - હરે કૃષ્ણા
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર  
ભૂતભાવન-મનભાવન મહાકાળ