મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ૐ શ્રી ત્રિશક્તિ નમ:
જ્યાં બિરાજમાન છે દેવીના અનોખા વિવિધ રૂપ
W.DW.D

શ્રી કાળી માતા અમરાવતી દેવસ્થાનમ. આ પવિત્ર સ્થાનને ત્રિશક્તિ પીઠમના નામે પણ ઓળખવામાં આવે છે. હાલ આ મંદિર આંધ્રપ્રદેશના વિજયવાડાના ગણ્યા ગાઠ્યાં મંદિરોમાનું એક છે. કૃષ્ણાવેણી નદીના કિનારે વસેલું આ મંદિર ખૂબ જ અલૌકિક છે. ત્રિશક્તિ પીઠમમાં મુખ્યરૂપે ત્રણ દેવીઓ - શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતીની મૂર્તિઓ સ્થાપિત છે, જે 'ઈચ્છા શક્તિ', 'ક્રિયા શક્તિ', અને 'જ્ઞાન શક્તિ' ની દ્યોતક છે. આ પવિત્ર સ્થાનને આખા દેશમાં 'આસ્થા દાસ પ્રીતમ'ના નામથી ઓળખવામાં આવે છે.

સ્થળ પુરાણમ - અહી આવેલી શ્રી મહાકાળીની આ મૂર્તિ સ્વયંભૂ છે, જે નેલ્લોરના જંગલોમાં એક સૈન્ય ઇજનેરને મળી હતી. તેમણે આ મૂર્તિ વિજયવાડાના આ મંદિરમાં સ્થાપિત કરી દીધી. અહીંના લોકોનું માનવું છે કે, પ્રાચીન કાળમાં મહાકવિ કાલીદાસે આ સ્થળે સતત 11 વર્ષો સુધી ઉપાસના કરી હતી. આ મંદિરનો પાયો કૃષ્ણાદેવી નદીના કિનારે એક શક્તિ ઉપાસક ગુંજા રામાસ્વામીએ 14 ઓક્ટોબર, 1947માં મૂકી હતી. પછી આ મંદિરના દ્વાર આશ્ચર્યજનક રૂપથી બંધ કરી દીધા. 1965માં તુરગ વૈકટશ્વરલૂ નામના એક અન્ય ઉપાસકે પંદર વર્ષો પછી આ મંદિરના દ્રાર ખોલ્યા. ચમત્કાર તો એ હતો કે તેમની સાથે હાજર બીજા લોકોએ મંદિર ખોલ્યા પછી જોયું કે અંદર દીવો પ્રગટી રહ્યો હતો. આ ઘટના પછી બધાએ મહાકાળીનો મહિમા માની લીધો.
W.DPTI

મંદિરમાં વૈદિક પધ્ધતિથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. અહીં સૂત્રોના મુજબ પંચામૃત સ્થાપના, શ્રી લક્ષ્મી ગણેશ હોમમ અને લક્ષ કુમ અર્ચના પછી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવે છે. અહીંયા શ્રધ્ધાળુઓ દ્વારા સરાનવરાત્રી, દીવાળી જેવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.

દશમુખી મહાલક્ષ્મી -
અહીં આવેલી મહાકાળીની મૂર્તિના દસ મોઢા અને દસ પદો છે. તેમનો રંગ ઘાટ્ટો આસમાની છે. આ મૂર્તિ દ્વારા માઁનુ તામસિક રૂપ પ્રદર્શિત થાય છે. ઘરેણાઓથી લદાયેલી મહાકાળીના આઠ હાથોમાં શસ્ત્ર સુસજ્જ છે. તે તલવાર, ચક્ર, ગદા, ધનુષ, બાણ, ભાલા, ઢાલ, ગુલેલ, કપાલ, અને શંખથી સુસજ્જ છે. માતાનુ આ રૂપ 'યોગનિદ્રા'નું રૂપ છે. ભગવાન બ્રહ્મા માઁના આ રૂપથી વિષ્ણુજીને ઊંઘની પકડમાંથી બહાર નીકળવાની વિનંતી કરી રહ્યા છે. જેનાથી વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને મારવા માટે આતુર મધુ અને કૈટભ નામના રાક્ષસોનો વધ કરી શકે.
વિડીયો જુઓ
1 | 2  >>  
ફોટોગેલેરી
અહીંથી ફોટોગેલેરી જુઓ...
ઘણું બધુ
કોલ્લૂર મુકામ્બિકા દેવી નું મંદિર
ગણપતિ બાપા મોરિયા રે
હરે રામા - હરે કૃષ્ણા
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર  
ભૂતભાવન-મનભાવન મહાકાળ