ચંદીગઢ (વાર્તા) માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને સોમવારે ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ ચોથા વન-ડે મેચમાં બેટીંગ કરતા સમયે ગોઠણમાં ઇજા લાગી હતી જે કારણે તેઓ ફિલ્ડીંગમાં આવ્યા ન હતા.
ભારતીય ટીમનાં ફિઝિયો જોન ગ્લોસ્ટરે જણાવ્યું કે બેટીંગ કરતા સમયે સચિનને ગોઠણમાં ઇજા થઇ હતી અને તેમને સામાન્ય ખેંચાણનો અનુભવ થતો હતો. ગ્લોસ્ટરે કહ્યું કે તેમાં ચિંતાનો વિષય નથી સચિન આગામી મેચ સુધી સંપુર્ણ ફીટ થઇ જશે.
છતાં પણ ગ્લોસ્ટરે કહ્યું કે એક દિવસ બાદ સચિનની ઇજા વિશે યોગ્ય માહિતી મળશે. સચિનને ઇજા થતા ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચિંતાની લહેર ઉઠી છે.
સચિને વિપરીત પરિસ્થિતિમાં ધીરજથી બેટીંગ કરતા 79 રન બનાવીને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
|