મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુએઈ ક્રિકેટ વિશ્વ કપમાં સામેલ થવા કટિબદ્ધ

સંયુક્ત અરબ અમિરાતે 2009 નાં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ક્વાલીફાયર પર પોતાની નજર જમાવી રાખી છે અને તેનું લક્ષ્ય વિશ્વકપમાં પ્રવેશ મેળવવાનું છે.

જો કે અમીરાતની ટીમ આઈસીસી ઈન્ટરનેશનલ કપમાં ખરાબ રીતે હારી ગઈ હતી. પરંતુ ટીમનાં કપ્તાન સકીબ અલીનું કહેવું છે કે આ ટૂર્નામેન્ટના અનુભવનો લાભ તેમની ટીમ 2009 નાં વિશ્વ કપ ફ્વાલીફાયરમાં ઉઠાવશે.

અલીએ કહ્યું હતું કે, આઈસીસી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ અમારા માટે ખરાબ અનુભવ રહ્યો. પરંતુ તેમાંથી અમે ક્રિકેટ રમનારા દેશો વિરૂદ્ધ અમારી ક્ષમતા જાણી શક્યા. અમને જાણ થઈ કે અમે ક્યાં છીએ અને ટીમમાં શું સુધારવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે, અમારૂ મુખ્ય લક્ષ્ય આઈસીસી વિશ્વ કપ ક્વાલીફાયરમાં ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવાનું છે.
ઘણું બધુ
ગરમીમાં આકરી પ્રેક્ટીસ કરતી ટીમ ઇંડિયા
વન-ડે બેટિંગ લીસ્ટમાં 2જા સ્થાને સચિન
કાનપુરમાં ટીમ ઈન્ડિયાની જીત જરૂરી
IPL ટુર્નામેંટ પહેલા સચિન ફિટ હશે-કોચ
હૈદરાબાદ હીરોએ આઈસીએલ ટૂર્નામેન્ટ જીતી
કાનપુર ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર