છેલ્લા કેટલાય સમયથી વિકેટ લેવા અધીરા બનેલા અનિલ કુંબલે માટે સારા સમાચાર છે. તેના મનપસંદ મેદાન ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમની પીચ તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ પીચનાં ક્યુરેટર રાધેશ્યામ શર્માનાં જણાવ્યા મુજબ ફિરોજશાહ ની પીચ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેમને મદદગાર સાબિત થશે. આ પીચ અનિલ કુંબલેને ભેટરૂપે તૈયાર કરાયું છે. કારણ કે તેઓ જ્યારે પણ દિલ્હી આવે છે ત્યારે સમય નીકાળીને મને મળવા આવે છે. તેથી મેં તેને મદદ આપી શકે તેવી પીચ બનાવી છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શરૂઆતમાં થોડો સમય પીચ ફાસ્ટ બોલરોને મદદ કરશે. ત્યારબાદ તે સ્પીનરોને મદદ કરશે. ત્રીજા દિવસે બોલીંગ કરનાર સ્પીનર માટે તે ખૂબ ઉપયોગી સાબિત થશે.
|