ઈંડિયન ક્રિકેટ લીગ(આઈપીએલ)ના આલોચકોને બે ટૂક જવાબ આપતા આઈપીએલના અધ્યક્ષ અને આયુક્ત લલિત મોદીએ કાલે કહ્યુ કે હકીકત એ છે કે ક્રિકેટના આ નવા સંસ્કરણથી આ રમતનમાં રોનક આવી છે.
એક ખાનગી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ - 'આઈપીએલના ઘરેલુ અને આંતરાષ્ટ્રીય ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં સકારાત્મક ભૂમિકા ભજવી છે. આજે ઈગ્લેંડના ખેલાડી પણ આમાં ભાગ લેવા માંગે છે કારણકે એ અનુભવી રહ્યા છે કે તેમા બધા આંતરાષ્ટ્રીય ખેલાડી ભાગ લઈ રહ્યા છે અને તેઓ આ તક ગુમાવવા નથી માંગતા.
રિકી પોંટિગે એક નિવેદન પર ટિપ્પણી કરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના આ ઉપાધ્યક્ષને કહ્યુ કે તેઓ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન સાથે સહેમત નથી. તેમણે કહ્યુ 'આ એક મોટી ટૂર્નામેંટ છે જેમા દોઢ સો ખેલાડી ભાગ લે છે. આ વિચારવુ યોગ્ય નથી કે તેમા કોઈપણ ઘાયલ ન થાય. પોંટિગે કહ્યુ હતુ કે આઈપીએલને કારણે ટૂર્નામેંટ પછી ખેલાડીઓ ઘાયલ થઈ ગયા અને તેમના રમતનુ સ્તર ગબડી ગયુ.
|