મુંબઇમાં ગયા વર્ષના આતંકવાદી હુમલાના અનુસંધાનમાં ઇન્ડિયન પ્રિમિયર લીગ ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી પાકિસ્તાને તેના ક્રિકેટરોને અટકાવી દીધા છે. જેથી પાકિસ્તાની ખેલાડીઓ આઇપીએલમાં ભાગ લઇ શકશે નહીં.
રમત-ગમત પ્રધાન આફતાબ ગિલાનીએ જણાવ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાની ખેલાડીઓ ભારતનો પ્રવાસ કરે તે બાબત હાલમાં યોગ્ય નથી. પાકિસ્તાની ખેલાડીઓ માટે વાતાવરણ સાનુકૂળ નથી. ગિલાનીએ ગયા સપ્તાહમાં નો-ઓબઝેકશન સર્ટીફિકેટ આપીને આઇપીએલમાં ભાગ લેવા પાકિસ્તાની ખેલાડીઓને મંજૂરી આપી હતી.
પાંચ પાકિસ્તાની ક્રિકેટરો યાસીર હમીદ, યાસર અરાફાત, અસીમ કમાલ, ડેનિસ કનેરિયા, મોહંમદ હફીઝ 10મી ફેબ્રુઆરીના દિવસે ગોવામાં યોજાનારી હરાજીમાં યાદીમાં સામેલ હતા. રમત-ગમત મંત્રાલયે તેમને એનઓસી આપી હતી.
|