ગત વર્ષે ઉપ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સની આ વખતે સેમી ફાઇનલમાં થયેલી હાર બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના બેટ્સમેનોને દોષિત ઠહેરાવતાં કહ્યું હતું કે, મહત્વપૂર્ણ સમયે તેમણે વિકેટ ફેંકી દીધી હતી જે ટીમને મોંઘું પડ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના હાથે છ વિકેટથી હાર્યા બાદ ધોનીએ કહ્યું હતું કે, વિકેટ થોડી ધીમી હતી અને આ પીચ ઉપર 160 રનનું લક્ષ્ય કઠીન કહેવાય. પરંતુ અમે મહત્વપૂર્ણ સમયે વિકેટ ખોઇ બેઠા હતા. હું અને રૈના એવા સમયે આઉટ થયા કે જે સમયે ટીમને અમારી જરૂર હતી. જે અમને મોંઘુ પડ્યું.તેમણે કહ્યું કે, અમારા બોલરો પણ અસરકારક પુરવાર થઇ શક્યા ન હતા. જો અમે 15 રન વધુ બનાવ્યા હોત તો અમે સારી સ્થિતિમાં હોત. |