ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન ઈંડિયન પ્રીમિયર લીગની પોતાની ફ્રેંચાઈઝી કોલકત્તા નાઈટરાઈડર્સ (કેકેઆર)ના 10 થી 12 ટકા શેર વેચવા પર વિચાર કરી રહ્યાં છે.
દક્ષિણ આફ્રીકામાં થયેલ ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-2માં નાઈટરાઈડર્સ આઠમા સ્થાને રહી હતી. તે છતાં પણ બોલીવુડ સ્ટાર જોડાયેલ હોવાને લીધે બધી જ ટીમોમાં આની સૌથી વધારે બ્રાંડ વેલ્યુ છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર શાહરૂખ આને મેનચેસ્ટર યુનાઈટેડ અને બાસ્કેટબોલમાં લોસ એંજીલ્સ લૈકર્સની જેમ રમત જગતની ટોચની 5 ફ્રેંચાઈઝીમાં સમાવેશ કરવાની આશા રાખે છે.
તેઓ આગામી મહિના સુધી પોતાની ફ્રેંચાઈઝના શેર વેચવાની તૈયારી કરી રહ્યાં છે. શાહરૂખ કે કે આરના ક્રિકેટ નિદેશક જોન બકીનન તેમજ સપોર્ટ સ્ટાફ વિશે પણ જુલાઈના અંત સુધી નિર્ણય લેવાશે.
|