મહેન્દ્રસિંહ ધોની ભલે કેપ્ટનશિપની વિપરીત અસર તેની બેટીંગ ઉપર પડી ન હોવાનું સ્વીકારતા ના હોય પરંતુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનનું સ્પષ્ટ માનવું છે કે કેપ્ટનશિપને પગલે વિકેટકિપર એવા મહેન્દ્રસિંહ ધોનીની બેટીંગની ધાર બુઠ્ઠી થઇ ગઇ છે. અઝરૂદ્દીને ધોનીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટની જેમ નૈસર્ગિક રીતે પોતાની બેટીંગ ચાવુ રાખવાની સલાહ આપી.
ક્રિકેટરથી સાંસદ બનેલા પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીને એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, ધોની એક સારો ખેલાડી છે પરંતુ જ્યારથી તે કેપ્ટન બન્યો છે ત્યારથી તેની બેટીંગમાં પરિવર્તન આવ્યું છે. તે હવે પહેલાની જેમ આક્રમક બેટીંગ કરી શકતો નથી તે હવે રક્ષણાત્મક વધુ રમવા જાય છે.
|