ભારતીય કપ્તાન મહેંદ્રસિંહ ધોની ટ્વેંટી-20 વિશ્વકપના ગ્રુપ મેચોમાં ત્રીજા નંબર પર ખાસ સફળતા ન મળવા પર આગળના મેચોમાં કદાચ આ નંબર પર બેટીંગ કરવા નહીં ઉતરે.
ધોનીએ બુધવારે આયરલેન્ડ વિરુદ્ધ અંતિમ ગ્રૃપ મેચમાં આઠ વિકેટની મોટી જીત નોંધાવ્યાં બાદ કહ્યું કે, બેટીંગ ક્રમમાં કેટલીક નવી વસ્તુઓ અજમાવવા માટે તેમણે ખુદને ત્રીજા નંબર પર રાખ્યાં હતાં, પરંતુ તેનો પ્રયોગ અસફળ સાબિત થયો અને બન્ને ગ્રૃપ મેચોમાં તે દાવના મધ્યમાં તેજીથી રન બનાવામાં નિષ્ફળ રહ્યાં.
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું તે આગામી મેચોમાંમા પણ આ નંબર પર બેટીંગ કરશે તો તેમણે કહ્યું કદાચ નહીં. આપણે એ જોવું પડશે કે, કયો ક્રમ આપણા માટે ઉપયુક્ત છે અને પછી અમે તેના હિસાબે નિર્ણય લેશું. |