ભૂતપૂર્વ કપ્તાન જાવેદ મિયાઁદાદે પાકિસ્તાનને સાવચેત કર્યું છે કે ટ્વેન્ટી-20 જીતવા છતાં પણ યૂનિસ ખાનની આગેવાનીવાળી ટીમને શ્રીલંકા વિરુદ્ધ આગામી ટેસ્ટ શ્રેણીમાં જોરદાર પડકાર મળશે.
ભૂતપૂર્વ પાકિસ્તાની કપ્તાન અને કોચ મિયાદાદે કહ્યું કે ટવેંટી 20 વિશ્વ કપ જીત્યાં બાદ પાક ખેલાડીઓની જવાબદારે વધુ વધી ગઈ છે. ટીમને શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટે ટ્વેંટી-20 વિશ્વ કપથી પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
મિયાઁદાદે ખેલાડી અને કોચ તરીકે શ્રીલંકા પ્રવાસના અનુભવોના આધાર પર કહ્યું કે શ્રીલંકામાં પાકિસ્તાની ટીમને કડક પડકારનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે શ્રીલંકાને તેની ધરતી પર હરાવવું સરળ નથી અને તેની પાસે સારા એવા સ્પિનરો પણ છે. |