રાહુલ દ્વવિડને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યોજાનારી એક દિવસીય ક્રિકેટ શ્રેણીના શરૂઆતી બે મેચો માટે ભારતીય ટીમમાં સ્થાન મળી શક્યું નથી જ્યારે સુદીપ ત્યાગી ટીમમાં એક માત્ર નવો ચહેરો હશે.
25 ઓક્ટોબરના રોજ શરૂ થનારી આ શ્રેણી માટે વીરેન્દ્ર સહેવાગ અને યુવરાજસિંહને ટીમમાં પુનરાગમન કર્યું છે. મુનાફ પટેલ તથા રવીન્દ્ર જાડેજા ટીમમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યાં છે.
સુદીપ ત્યાગીએ ભારતીય ટીમમાં થયેલી પોતાની પસંદગીને દીવાળીની ભેટ ગણી છે. તેમણે પોતાની સફળતાનો શ્રેય આઈપીએલના પાછલા સત્રના પોતાના પ્રદર્શનને આપ્યો.
બહાર કરવામાં આવેલા આરપી સિંહ વિષે પુછવા પર સંદીપે કહ્યું, આરપી ખુબ જ સારા બોલર છે અને હું તેમની પાસેથી દિશા નિર્દેશ લેતો રહું છું. ઈશાંત શર્મા વિષે પુછવા પર સંદીપે કહ્યું., ઈશાંત પોતાના ખરાબ ફોર્મમાંથી ટૂક સમયમાં જ છુટકારો મેળવી લેશે.