કપ્તાન પદથી રાજીનામુ આપનારા યૂનિસ ખાને ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શનની સમીક્ષા માટે બોલાવેલ બેઠકમાં ભાગ નથી લીધો.
આ બેઠક પીસીબી અધ્યક્ષ એજાજ બટની અધ્યક્ષતામાં ગદ્દાફી સ્ટેડિયમમા બોલાવવામાં આવી હતી. જેમા ઉપ કપ્તાન શાહિદ અફરીદી, કોચ ઈંતિખાબ આલમ, મેનેજર યાવર સઈદ, મદદનીશ મેનેજર શફકત રાણા, મુખ્ય પસંદગીકર્તા ઈકબાલ કાસિમ અને બોર્ડના મુખ્ય સંચાલન અધિકારી વસીમ બારી ભાગ લીધો.
પીસીબીએ નિવેદનમાં કહ્યુ કે કપ્તાન યૂનિસ ખાને બેઠકમાં ભાગ ન લીધો કારણ કે તેમને એક પહેલા બોર્ડ અધ્યક્ષની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે બેઠકમાં બધાએ સર્વસંમતિથી માન્યુ કે ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાનનુ પ્રદર્શન સંતોષજનક હતુ.