પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટે આવતા અઠવાડિયે ભારત પ્રવાસ પર જશે અને રિપોર્ટરો મુજબ તેઓ બંને દેશો વચ્ચે આવતા વર્ષે તટસ્થ સ્થાન પર એકદિવસીય શ્રેણી આયોજીત કરવાનેલઈને બીસીસીઆઈ અધિકારીઓ સાથે વાતચીત કરશે.
બટે આજે ખાતરી આપી કે તેઓ નવી દિલ્લીમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્તની સાથે બેઠક કરશે. આ દરમિયાન તેઓ ભારતીય બોર્ડ અને સરકારી અધિકારીઓને પણ મળશે, પરંતુ આ અંગે તેમણે વિસ્તૃત માહિતી નથી આપી.
આ ઉપરાંત તેઓ બીસીસીઆઈ અધિકારીઓ સાથે ભવિષ્ય દરમિયાન કાર્યક્રમ અને ઈંડિયન પ્રીમિયર લીગમાં પાકિસ્તાની ખેલાડીઓની ભાગીદારી વિશે પણ વાત કરી શકે છે.