ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » તેંડુલકર માટે ભાગ્યશાળી રહ્યુ છે વડોદરાનુ મેદાન
Feedback Print Bookmark and Share
 

N.D
ચેમ્પિયંસ ટ્રોફીમાં ઘાયલ થયા પછી ક્રિકેટ મેદાન પર પાછા ફરી રહેલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયના વિરુધ્ધ સાત એકદિવસીય મેચમાં વડોદરાને એ રિલાય6સ સ્ટેડિયમમાં વધુ રન બનાવીને રમતમાં પાછા ફરવાની આશા રહેશે, જે તેમના માટે અને ભારત માટે ભાગ્યશાળી રહ્યુ છે.

તેંડુલકરને રિલાયંસ સ્ટેડિયમની પિચ ફળી જાય છે અને તેમણે અહી છ મેચોમાં 85.60ની બેજોડ સરેરાશની સાથે 428 રન એકત્ર કર્યા છે, જેમા ત્રણ સદીનો પણ સમાવેશ થાય છે. મતલબ મુંબઈનો આ બેટ્સમેન અહી સરેરાશ દરે બીજી મેચમાં સદી ફટકારે છે.

તેંડુલકર ઉપરાંત આ ભારત માટે પણ ખૂબ ભાગ્યશાળી રહ્યુ છે અને તેણે અહીં રમેલ સાત મેચોમાંથી સાત મેચમાં જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા જો કે આ મેદાન પર માત્ર એક જ વાર રમ્યુ છે, જેમા તેણે ભારતને નવ વિકેટે પછાડ્યુ હતુ.
સંબંધિત જાણકારી શોધો