ભારત પ્રથમ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ખૂબ જ રોમાંચક સંઘર્ષમાં ભલે માત્ર 4 રનથી હારી ગયુ, પરંતુ ઓસ્ટ્રેલિયાના ત્રણ મુખ્ય ખેલાડીઓના ઘાયલ હોવાથી બુધવારે બીજી વનડેમાંથી બહાર થઈ જવાને કારણે ટીમ ઈંડિયાની સીરીઝમાં બરાબરી મેળવવાની આશા વધી ગઈ છે.
ઓસ્ટ્રેલિયાઈ ટીમ માટે પોતાના મુખ્ય ઝડપી બોલરો બ્રેટ લી અને મિશેજ જોનસન અને ઓલરાઉંડર જેમ્સ હોપ્સના ઘાયલ થઈને ટીમમાંથી બહાર થઈ જવુ એક ઝટકો છે. જ્યારે કે ભારત માટે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓને વાગવુ એ એક ખુશખબર લઈને આવ્યુ છે.