મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મંગળવારે કેટલાયે પુર્વ ખેલાડીઓના સુરમાં સુર ભેળવતાં કહ્યું કે, ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને બેટિંગના ક્રમમાં ઉપર ઉતરવું જોઈએ.
ભારતના પુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ઓસ્ટ્રેલીયાના પુર્વ વિકેટકીપર એડમ ગીલક્રીસ્ટની સલાહની સાથે સહેમત થતાં ગાવસ્કરે કહ્યું કે, જે સારા બેટ્સમેન છે તેમને વધારે ઓવર રમવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે રનનો પીછો કરવાનો હોય અને પાંચ કરતાં વધારે રનરેટથી રન કરવાના હોય. ટીમ પ્રબંધનને આ બાબત પર વિચાર કરવો જોઈએ.
તેમણે કહ્યું કે, આ જ કારણને લીધે સચિનને દાવની શરૂઆતની જવાબદારી સોંપવામાં આવી હતી જેથી કરીને તેઓ 50 ઓવર રમી શકે.