બોલીવુડ સ્ટાર જીમી શેરગીલે 11 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી સુધી થનારી ટી-10 ગલી ક્રિકેટના બીજા સત્ર માટે 'જાલંધર ગલીજ' ટીમ ખરીદી છે.
શેરગીલે કહ્યું કે, હું જાલંધર ગલીઝનો માલિક બનીને ખુશ છું, કેમકે આ મને મારા મૂળ સાથે જોડાવાની તક આપશે કેમકે હું પંજાબનો જ છું.
તેમને જ્યારે પુછવામાં આવ્યું કે શું તેઓ સહ કલાકારો શાહરૂખ ખાન, પ્રિતી ઝીંટા અને શિલ્પા શેટ્ટીની જેમ ઈંડિયન પ્રીમિયર લીગ સાથે જોડાવા માંગશો, તો તેમણે કહ્યું કે હા આઈપીએલ સાથે કોણ જોડાવા ન ઈચ્છે. જો મને તક મળશે તો હું ખુશીથી તેને સ્વીકારી લઈશ.