સુનીલ ગાવસ્કરના ક્રિકેટને અલવિદા કહેવાથી દુખી લતા મંગેશકરને કેટલાયે વર્ષો બાદ જ્યારે તેમને પુછ્યું હતું કે, ' તમે સમય પૂર્વે આવું શા માટે કર્યું તો તેમણે જવાબ હતો કે, મારો સમય થઈ ગયો હતો પરંતુ સચિન છે ને આપના માટે.'
ગાવસકરે 1987 માં ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. સચિનની મોટી પ્રશંસક સૂરોની મલ્લિકા લતા આ નિર્ણયથી ઘણી દુખી હતી. ભારત રત્ન લતાએ જણાવ્યું કે, આલોચકોએ સની(સુનિલ ગાવસ્કર) ને ઘણા પરેશાન કરીને રાખ્યાં હતાં અને મને લાગે છે કે, તેનાથી કંટાળી જઈને જ તેમણે ક્રિકેટને અલવિદા કહી દીધી.
જ્યારે લતાજીને એમ પુછવામાં આવ્યું કે, ' શું તે સચિનને દુનિયાનો નંબર વન ક્રિકેટર માને છે તો તેમણે જવાબ આપ્યો કે, જ્યારે ડ્રોન બેડ મેને સચિનની કાબેલિયતને પરખી લીધી છે તો પછી હું કોણ છું. બ્રેડમેનને સચિનમાં પોતાનો અક્સ નજરે ચડે છે. મારા ઘરમાં બધા લોકો કહે છે કે, સચિન ક્રિકેટનો ભગવાન છે. મારા માટે તો તે પુત્ર સમાન છે. '