રાહુલ દ્રવિડની ગેરહાજરી આવતા સપ્તાહે શરૂ થતી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં મોટો ફટકો હોવાનું ગૌતમ ગંભીરે જણાવ્યો હતો. આ સાથે ગંભીરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દ્રવિડની ગેરહાજરી છતાં અમે આફ્રિકાને હરાવવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.
એમ.આર.એફ ચેલન્જના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં બાદ અહીં હાજર રહેલા ટીમ ઈન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, વર્ષના 2010 ના પ્રારંભે બંગલાદેશ પ્રવાસમાં મળેલા વિજયનો વિશ્વાસ અમે ઘરઆગંણે આફ્રિકા સામે દોહરાવશું. ખેલાડીઓ માનસિક રીતે વિજયનો ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે.