મોહાલીમાં શુક્રવારના રોજ કિંગ્સ પંજાબ વિરુધ્ધ મુંબઈ ઇંડિયંસ વચ્ચે રમાઈ ગયેલી આઈપીએલની મેચમાં હરભજન અને શ્રીસંતનો ઝઘડો થઇ જતાં એક અલગ વિવાદ ઊભો થયો છે. મેચ પત્યા બાદ હરભજને કોઈ કારણોસર શ્રીસંતને મેદાન પર જ લાફો મારી દેવાનું ધ્યાનમાં આવ્યું. શ્રીસંત મેદાન પર જાહેરમાં રડી પડયો હતો. તેમ છતાં કોઇકારણોસર શ્રીસંત ભજ્જી સામે કોઇ ફરિયાદ કરવા નથી માંગતો અને તેને પોતાનો મોટો ભાઇ કહે છે. શ્રીસંત આજે પત્રકારો સમક્ષ જણાવ્યું કે, કેટલીક બાબતો મેદાન સુધી જ સીમીત રહેવી જોઈએ. આ બધુ રમતનો એક ભાગ છે. હરભજન મારા મોટા ભાઈ જેવો છે અને હું તેના વિરુધ્ધ કોઈ ફરિયાદ કરવા માંગતો નથી. આ મુદ્દાને આટલો બધો ગંભીર ન બનાવવો જોઈએ. હરભજન ત્યારબાદ મારી પાસે આવ્યો હતો અને માફી પણ માંગી હતી. |