ચંડીગઢ. હરભજન સિંહની થપ્પડ ખાધા બાદ આંસુઓથી તરબોળ થયેલા ફાસ્ટ બોલર એસ શ્રીસંતે જણાવ્યું કે તેઓ આ ઘટનાને ભુલવાની અને પોતાની રમત પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
શ્રીસંતે તેમની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સની વિરુધ મોહાલીમાં મેચના થોડાક કલાક પહેલાં કહ્યું હતું કે મે હજી સુધી સમાચાર પત્ર નથી વાંચ્યા અને હું ફક્ત મારી રમત પર જ ધ્યાન આપવા માંગુ છું. શુક્રવારે ઘટેલી આ અભદ્ર ઘટના બાદ શ્રીસંતે તેને મહત્વ ન આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ કેરલના આ ફાસ્ટ બોલરે બાદમાં પોતાનો રવૈયો બદલતાં જણાવ્યું કે મુંબઈ ઈંડિયંસના કાર્યવાહક કેપ્ટને તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.
|