રમત મંત્રાલયથી મળેલી ચેતાવણીથી હજુ સુધી દુ:ખી ભારતીય પહેલવાન સુશીલ કુમારે કહ્યું છે કે, તેમણે જર્મની ગ્રાંપીમાં સ્વર્ણ પદક જીતીને આલોચકોનું મોઢું બંધ કરી દીધું છે. તેમણે તાજેતરમાં આ પદક 66 કિલોગ્રામ ભારવર્ગમાં જીત્યું.
બેઈજિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા સુશીલે બુધવારે જણાવ્યું કે, 'ગત દિવસોમાં ઓવરવેટ હોવાના કારણે રમત મંત્રાલયની સ્ટીયરિંગ કમિટીએ મને ચેતાવણી આપી હતી. જેનાથી હું નિરાશ હતો. હું ખુદને સાબિત કરવા ઈચ્છતો હતો. આ પદક મારા આલોચકોના મોઢા બંધ કરવા માટે ઉચિત જવાબ છે.
|