શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By

શ્રાદ્ધનો સારુ ફળ ઈચ્છો છો તો આ 2 વાતો યાદ રાખો

શ્રાદ્ધકાળમાં શ્રીમદભાગવત પિતૃસૂક્ત એંદસૂક્ત મધુમતિ સૂક્ત વગેરેના પાઠ કરવાના વિધાન છે એનાથી મન બુદ્ધિ અને કર્મની શુદ્ધિ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે . શ્રાદ્ધના અવસર પર દિવંગત પૂર્વજોની મૃત્યૂ તિથિના દિવસે નિમંત્રણ આપી બ્રાહમણને  ભોજન , વસ્ત્ર અને દક્ષિણા સાથે દાન આપીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. 
 
આ દિવસે પાંચા પાન પર જુદી-જુદી ભોજન સામગ્રી મુકીને પંચબલિ કરો. આ છે - ગૌ બલિ , શ્વાન બલિ,  કાક બલિ,  દેવાદિ બલિ અને કીડીઓ માટે . 
 
શ્રાદ્ધ માં એક હાથથી પિંડ અને આહુતિ આપો પરંતુ તર્પણમાં બન્ને હાથથી જળ આપવું જોઈએ. આથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને એમની કૃપાથી મનુષ્યના દુ:ખ કષ્ટ દૂર થઈ જાય છે.