શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

અલ્લાહના 99 નામ પાર્ટ-3

N.D
૨૧. અલ્‌-કાબિધ (રોજી બન્દ કરને વાલા)
જે વ્યક્તિ રોટલીના ચાર ટુકડાઓ પર અલ્‌-કાબિધ લખીને ૪૦ દિવસ સુધી ખાશે તે ભૂખ, તરસ, ઘા તેમજ દર્દ વગેરે જેવી તકલીફોથી ઇન્શા અલ્લાહ બચેલો રહેશે.

૨૨. અલ્‌-બાસિ઼ત (રોજી ખોલનાર)
જે વ્યક્તિ ચાશ્તની નમાજ બાદ આસમાન તરફ હાથ ઉઠાવીને દસ બાર કે બાસિ઼ત પઢશે અને મોઢા પર હાથ ફેરવશે અલ્લાહ ત'આલા તેને કોઈના પણ મોહતાજ નહી રાખે.

૨૩. અલ્‌-ખાફિધ (નાના કરનાર)
જે વ્યક્તિ દરરોજ ૫૦૦ વખત યા ખાફિધ પઢશે અલ્લાહ ત'આલા તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરશે અને બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જે વ્યક્તિ ત્રણ રોજા રાખશે અને ચોથા રોજા વખતે એક જ્ગ્યાએ બેસીને 70 વખત પઢશે તો ઇન્શા અલ્લાહ દુશ્મન પર વિજયી થશે.

૨૪. અર્‌-રાફે' (ઊઁચો કરનાર)
જે વ્યક્તિ દરેક મહીનાની ચૌદમી રાત્રે અડધી રાત્રે 100 વખત યા રાફે' પઢશે તો અલ્લાહ ત'આલા તેને મખ્લૂક (સૃષ્ટિ) થી બેનિયાજ (અનાશ્રિત) અને ધનવાન કરી દેશે. અને જો 70 વહત દરરોજ પઢશે તો જાલિમોંથી સુરક્ષા મળશે ઇન્શા અલ્લાહ.

૨૫. અલ્‌-મોઇજ્જ (ઇજ્જત આપનાર)
જે વ્યક્તિ પીર કે જુમાના દિવસે મઇરિબ બાદ ૪૦ વખત યા મોઇજ્જ પઢશે તેને અલ્લાહ ત'આલા ઇજ્જતદાર બનાવશે.

૨૬. અલ્‌-મુજિલ્લ (અપમાનિત કરનાર)
જે વ્યક્તિ ૭૫ વખત યા મુજિલ્લ પઢીને સજદેમાં માથુ મુકીને દુઆ કરશે અલ્લાહ ત'આલા તેને હાસિદોં, જાલિમોં અને દુશ્મનોંની શરારતથી બચાવશે. જો કોઈ ખાસ દુશ્મન હોય તો સજદેમાં તેનું નામ લઈને 'ઐ અલ્લાહ તૂ મને તે દુશ્મનથી બચાવ' દુઆ કરશો તો દુઆ ઇન્શા અલ્લાહ કબૂલ થશે.

૨૭. અસ્‌-સમી' (બધુ જ સાંભળનાર)
જે વ્યક્તિ જુમેરાતના દિવસે ચાશ્તની નમાજ પછી ૫૦૦ વખત કે ૫૦ વખત યા સમી' પઢશે તો ઇન્શા અલ્લાહ તેની દુઆ કુબૂલ થશે. તે દરમિયાન વચ્ચે કોઈની સાથે વાત ન કરવી. જો વ્યક્તિ જુમેરાતના દિવસે ફજ્રની સુન્નતોં અને ફરજોંની વચ્ચે ૧૦૦ વખત પઢશે અલ્લાહ ત'આલા તેને વિશેષ સ્થાન આપશે.

૨૮. અલ્‌-બ઼સીર (બધુ જ આપનાર)
જે વ્યક્તિ જુમેની નમાજ પછી ૧૦૦ વખત યા બ઼સીર પઢશે અલ્લાહ ત'આલા તેની નિગાહ અને દિલમાં નૂર પૈદા કરી દેશે અને નેક કામોંની તૌફીક થશે.

૨૯. અલ્‌-઼હકમ (નિર્ણય કરનાર)
જે વ્યક્તિ છેલ્લીર રાત્રે ૯૯ વખત બા વજૂ યા ઼હકમ પઢશે અલ્લાહ ત'આલા તેના દિલમાં ગુપ્ત રહસ્ય તેમજ નૂર-ભરી દેશે અને જે વ્યક્તિ જુમાની રાત્રે યા હકમ પઢશે તો બેહાલ થઈ જશે અને અલ્લાહ ત'આલા તેના દિલને કશ્ફો-ઇલ્હામ (ખુદાના છુપાયેલા રાજને જાણી લેવા) થી નવાજશે. તે સિવાય અન્ય કોઈની ઇબાદત (ભક્તિ) નહીં તે અતિમહાન છે અતિ બુદ્ધિમાન.

૩૦. અલ્‌-'અદ્લ (ઇંસાફ કરનાર)
જે વ્યક્તિ જુમાના દિવસે રાત્રે રોટલીના વીસ કે ત્રીસ ટુકડા પર અલ્‌-'અદ્લ લખીને ખાશે અલ્લાહ ત'આલા સૃષ્ટિ (મખ્લૂક) તેને આધીન કરી દેશે.