જાણીતા ગઝલ ગાયક જગજીતસિંહ વિશે 18 વાતો
-
જાણીતા ગઝલ ગાયક સ્વર્ગીય જગજીત સિંહનો આજે 72મો જન્મદિવસ છે. -
જગજીત જી નો જન્મ 8 ફેબ્રુઆરી 1941ના રોજુ રાજસ્થાનના ગંગાનગરમાં થયો હતો. -
જગજીત જીનો પરિવાર મૂળ પંજાબના રોપડ જિલ્લાના દલ્લા ગામમાં રહેનારો છે. -
જગજીતજીનુ બાળપણનુ નામ જીત હતુ. કરોડો સાંભળનારાઓને કારણે જીત સાહેબ થોડાક જ દસકાઓમાં જગને જીતનારા જગજીત સિંહ બની ગયા. -
શરૂઆતી શિક્ષા ગંગાનગરના ખાલસા શાળામાં થઈ અને પછી તેઓ આગળ ભણવા જાલંધર આવી ગયા. -
ડીએવી કોલેજથી સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયમાંથી ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યુ. -
બાળપણથી જ પોતાના પિતા તરફથી સંગીત વારસામાં મળ્યુ. -
ગંગાનગરમાં જ પંડિત છગનલાલ શર્માના સાનિધ્યમાં બે વર્ષ સુધી સંગીત શીખવાની શરૂઆત કરી. -
આગળ જઈને સૈનિયા કુંટુબના ઉસ્તાદ જમાલ ખાન સાહેબ પાસેથી ખ્યાલ, ઠુમરી અને ધુળદની ઝીણવટો શીખી. -
પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર ભારતીય પશાસનિક સેવા(આઈએએસ)માં જાય પણ જગજીત પર ગાયક બનવાની ધુન સવાર હતી. -
જગજીત સિંહ ફિલ્મી દુનિયામાં પ્લેબેક સિંગિગ(પાર્શ્વગાયન)નુ સપનું લઈને આવ્યા હતા. -
શરૂઆતમાં પેટ ભરવા માટે કોલેજ અને શ્રીમંત લોકોની પાર્ટીઓમાં પોતાની રજૂઆત આપતા હતા. -
જગજીત સિંહએ ગઝલોને જ્યારે ફિલ્મી ગ્રીતોની જેમ ગાવાની શરૂઆત કરી ત્યારે સામાન્ય માણસોએ ગઝલમાં રસ બતાવવા લાગ્યા, પણ ગઝલના માહિતગારોના મોઢા ઉતરી ગયા. -
આરોપ લગાવવામાં આવ્યો હતો કે જગજીત સિંહએ ગઝલની પ્યોરીટી અને મૂડની સાથે છેડછાડ કરી. -
પણ જગજીત સિંહ પોતાની સફાઈમાં કાયમ કહેતા રહ્યા છે કે તેમણે પ્રસ્તુતિમાં થોડો ફેરફાર જરૂર કર્યો છે, પણ શબ્દો સાથે છેડછાડ ખૂબ ઓછી કરી છે. -
જગજીતજીએ ક્લાસિકી શાયરી ઉપરાંત સાધારણ શબ્દોમાં ઢળી સામાન્ય માણસની જીંદગીને પણ સુર આપ્યા. - '
અબ મે રાશન કી દુકાન મેં નજર આતા હુ', 'મે રોયા પરદેશ મે', 'મા સુનાઓ મુજે વો કહાની' જેવી રચનાઓએ ગઝલના ચાહકોને પણ પોતાની તરફ ખેચ્યા. -
ગઝલના બાદશાહ કહેનારા જગજીત સિંહનું 10 ઓક્ટોબર 2011ની સવારે 8 વાગે મૃત્યુ થયુ. -
જે દિવસે તેમને બ્રેન હેમરેજ થયુ એ દિવસે તેઓ જાણીતા ગઝલ ગાયક ગુલામ અલી સાથે એક શો ની તૈયારી કરી રહ્યા હતા.