શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ત્રણેય ખાન સાથે રોમાંસ કરવા માંગે છે વીણા

P.R

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનુ કહેવુ છે કે ફિલ્મ 'જીંદગી 50-50'માં તેમની ભૂમિકા બિંદાસથી વધુ યથાર્થવાદી છે. ઈણાએ શુક્રવારે અહી ફિલ્મનુ સંગીત રજૂ થવાના પ્રસંગ પર કહ્યુ, 'મને લાગે છે કે આ પાત્ર બિંદાસ નહી યથાર્થવાદી છે. આ એક યુવતીની સાચી વાર્તા છે અને મને આ માટે ઘણી મહેનત કરવાની છે.

વીણાએ આ ફિલ્મમાં યૌનકર્મચારી માધુરીની ભૂમિકા ભજવી છે. આ પાત્રને સમજવા માટે તેમણે યૌનકર્મચારી સાથે મુલાકાત્ર પણ કરી હતી. તેમણે કહ્યુ, 'મેં તેમને મળી અને જો ન મળી હોત તો હુ આ પાત્ર એટલુ સહજતાથી ભજવી ન શકત.

આ દરમિયાન વીણાએ બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરી અને કહ્યુ, 'મને ત્રણેય ખાન પસંદ છે, ભલે એ આમિર ખાન, શાહરૂખ ખાન હોય કે પછી સલમાન ખાન. હુ તેમની સાથે કામ કરવુ પસંદ કરીશ. પણ તેમાંથી એકેય સાથે કામ કરવા ન મળ્યુ તો પણ હુ વીણા મલિક જ રહીશ.

'જીંદગી 50-50'માં રિયા સેન, આર્ય બબ્બર, રાજપાલ યાદવ અને રાજન વર્માએ પણ અભિનય કર્યો છે.