સલમાને મોદીને બહેન અર્પિતાના લગ્નનું આમંત્રણ આપ્યુ
સલમાનની બહેન અર્પિતાનુ લગ્ન 18 નવેમ્બરના રોજ થઈ રહ્યુ છે. સલમાનની બહેનના લગ્ન દિલ્હીના મોટા વેપારી આયુષ શર્માની સાથે થઈ રહ્યા છે. લગ્નનો સમારંભ હૈદરાબાદમાં થશે.
મુલાકતની તસ્વીરોથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી મોદી અને સલમન ખાન બંને ખૂબ જોશમાં મળ્યા. જો કે પ્રધાનમંત્રીના શેડ્યુલને જોતા કહેવાય રહ્યુ છે કે અર્પિતાના લગ્નમાં તેમનુ જવુ મુશ્કેલ છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 11 નવેમ્બરના રોજ મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીના પ્રવાસ પર જઈ રહ્યા છે. મોદીનો વિદેશ પ્રવાસ 19 નવેમ્બર સુધી ચાલશે.
સલમન અને મોદીના સંબંધો હંમેશા મધુર રહ્યા છે. ચૂંટણી પહેલા પણ સલમાને મોદીની મુલાકાત કરી હતી અને તેમને પીએમ માટે બેસ્ટ વ્યક્તિ બતાવ્યા હતા. સલમાનના પિતા અને વીતેલા સમયના જોરદાર લેખક સલીમ ખાન પણ મોદીના સમર્થકમાંથી એક છે. તેમણે મુસલમાનોને 2002ના રમખાણોથી આગળ વધવની વાત કરી હતી.