શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (15:04 IST)

આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ નેગેટિવ અત્યાર સુધી ઠીક થઈ ગયા છે આ સિલેબ્સ

આલિયા ભટ્ટએ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યુ છે આ ખબર તેને તેમના ઈંસ્ટાગ્રામ પર આપી છે. આલિયા ભટ્ટ એપ્રિલની શરૂઆતમાં કોરોના વાયરસથી સંક્રમિત હતી. આશરે 14 દિવસ પછી તેમનો ટેસ્ટ નેગેટિવ આવી ગયું છે આલિયાના ફેંદ આ ગુડ ન્યુઝથી ખૂબ ખુશ છે. 
આલિયાથી  પહેલા રણબીર કપૂરને કોરોના થયું હતું. ત્યારબાદ આલિયાને સાવધાનીના લીધે તેમનો ટેસ્ટ કરાવ્યુ હતું. તે સમયે આલિયા નેગેટિવ નિકળી હતી પણ રણબીરના ઠીક થયા પછી આલિયા ભટ્ટનો કોવિડ ટેસ્ટ પણ પૉઝિટિવ આવ્યુ હતું. આલિયાએ તેમના   ઈંસ્ટાગ્રામ પર લખ્યુ છે, આ તે સમય છે જેમાં નેગેટિવ થવું સારી વાત છે. 
આ સેલેબ્સ પણ કોરોનાને મ્હાત આપી દીધી 
કોરોનાની બીજા લહેરએ ઘણા બૉલીવુડ સેલેબ્સને ઘેરી લીધી હતી. આ વર્ષે રણબીર કપૂર, ગોવિંદા, મિલિંદ સોમન, સતીશ કૌશિક, કાર્તિક આર્યન, સિદ્ધંત ચતુર્વેદી, આર માધવન અને અક્ષય કુમારે કોરોનાને હરાવી દીધી છે.