શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 3 જૂન 2023 (11:28 IST)

Amitabh Jaya 50th Anniversary: 'જંજીર' દ્વારા અમિતાભ-જયા બંધનમાં બંધાયા, પછી પતિના દિલમાંથી આ રીતે મિટાવી 'રેખા'

amitabha jaya
Amitabh Jaya Love Story: કહેવાય છે કે પ્રેમ પહેલી નજરે જ થાય છે. તેને તમારા સ્ટેટસ-બેંક બેલેન્સ વગેરેની પરવા હોતી નથી. જયા ભાદુરી સાથે પણ કંઈક આવું જ થયું. ખરેખર તો એ જમાનો 1970નો હતો. અમિતાભ ફિલ્મી દુનિયામાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યારે જયા તે જમાનાની સુપરસ્ટાર હતી. એક દિવસ અમિતાભ પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા અને જયા તેમના પ્રેમમાં પડી ગયા. આ પહેલી જ મુલાકાતે જયાનું દિલ ચોર્યું, પરંતુ આ સંબંધ લગ્નના ઉંબરે કેવી રીતે પહોંચ્યો, ચાલો જાણીએ આ લગ્નની વર્ષગાંઠ વિશેષમાં...
 
જયા-અમિતાભ ગુડ્ડીની ફિલ્મ દ્વારા નિકટ આવ્યા
 
અમિતાભ અને જયા ભલે પહેલા ફિલ્મ બંસી બિરજુમાં એકબીજાના હીરો-હિરોઈન બન્યા હોય, પરંતુ તેમને નજીક લાવવાની જવાબદારી 1971માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગુડ્ડી' એ લીધી  હતી. આ જ વર્ષે ફિલ્મ 'એક નજર'માં ફરી એકવાર બંનેની આંખો એકબીજા સાથે ટકરાઈ હતી. પછી ફિલ્મ બાવર્ચીએ તેમનું જોડાણ એટલું મજબૂત કર્યું કે 1973માં આવેલી 'ઝંજીર'એ બંનેને સાત જન્મો સુધી એકબીજા સાથે બાંધી દીધા.
 
'જંજીર' દ્વારા અમિતાભ-જયા બંધનમાં બંધાયા
સ્ટોરી  એવી છે કે તે દિવસોમાં અમિતાભ અને જયા વચ્ચે પ્રેમની વાતો સામાન્ય થઈ ગઈ હતી. જયા તેમનાં કરિયરનાં ટોચ  પર હતા, જ્યારે અમિતાભ એક હિટ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તે દરમિયાન પ્રકાશ મહેરાએ અમિતાભને જંજીરમાં હીરો તરીકે પસંદ કર્યા હતા, પરંતુ હીરોઈનની શોધ પૂરી થઈ ન હતી..  ખરુ કહીએ તો સતત સાત ફ્લોપ ફિલ્મો આપનાર અભિનેતા સાથે કોઈ અભિનેત્રી પોતાનુ કરિયર દાવ પર લગાવવા તૈયાર નહોતી. આ સિવાય જંજીરમાં હીરોઈન માટે કંઈ ખાસ નહોતું. તે દરમિયાન સલીમ-જાવેદે અમિતાભનુ નામ લઈને જયા સાથે વાત કરી હતી, ત્યારબાદ વાત બની હતી. 
 
આ રીતે થયા જયા-અમિતાભના લગ્ન 
 
ઝંજીર સુપરહિટ રહી અને તેણે અમિતાભ-જયાના સંબંધોને મજબૂત બનાવ્યો. બન્યું એવું કે ફિલ્મની આખી ટીમ જંજીરની સક્સેસ પાર્ટી માટે વિદેશ જવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનને આ વાતની ખબર પડી તો તેમણે બંનેની સામે લગ્નની શરત મૂકી. બંનેએ તરત જ લગ્ન કરી લીધા. 
 
આ રીતે પતિના દિલમાંથી મિટાવી દીધી  'રેખા' 
હવે એક સમય એવો આવ્યો જ્યારે અમિતાભનું નામ રેખા સાથે જોડાવવા લાગ્યું. તેમના અફેરની વાતો દરેકના હોઠ પર આવી ગઈ હતી. જ્યારે જયાને આ વાતની ખબર પડી તો તેના પણ હોશ ઉડી ગયા. એકવાર જ્યારે અમિતાભ શૂટિંગના કારણે શહેરની બહાર હતા ત્યારે જયાએ રેખાને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. રેખાએ વિચાર્યું હતું કે કદાચ તેને ઠપકો આપવામાં આવશે, પણ જયાએ તેની સાથે ખૂબ જ આદરપૂર્વક વર્ત્યા. ખોરાક ખવડાવ્યો અને ઘર પણ બતાવ્યું. રેખા જ્યારે પરત ફરી રહી હતી ત્યારે જયાએ તેને કહ્યું હતું કે, 'હું અમિતને ક્યારેય નહીં છોડું.' જયાની આ વાતે સ્પષ્ટ કરી દીધું હતું કે રેખા ક્યારેય અમિતાભની નહીં બને.