શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (14:47 IST)

બીએમસીવાળાએ અર્જુન કપૂરનુ જીમ તોડી પાડ્યુ, જાણો કેમ...

બોલીવુડ એક્ટર અર્જુન કપૂરને જોઈને આ અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે તે Gym Fanatic છે અને જિમને ખાસ્સો એવો સમય આપે છે.  પણ અર્જુનના ફેંસને આ જાણીને આધાત લાગશે કે બીએમસીએ મતલબ મુંબઈ નગર નિગમે અર્જુન કપૂરનુ જીમ તોડી પાડ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત રહેજા આર્કિડમાં રહે છે. ગયા અઠવાડિયે જ બીએમસીને એ માહિતી મળી કે અર્જુને પોતાની બિલ્ડિંગના ટેરેસ પર ગેરકાયદેસર નિર્માણ કરાવીને એક રૂમ બનાવ્યો છે. મતલબ આ માટે ઓથોરિટી પાસેથી અનુમતિ લીધી નથી. બીએમસીને જ્યારે આ વાતની માહિતી મળી તો તેના અધિકારીઓએ અર્જુન કપૂરને નોટિસ મોકલી આપી. 
નોટિસ મુજબ જો અર્જુન કપૂર આગામી એક અઠવાડિયામાં આ રૂમને તોડતા નથી તો બીએમસી પોતે ઘરે આવીને કાર્યવાહી કરશે. 
 
જ્યારે અનેક નોટિસ મળવા છતા પણ અર્જુન સચેત ન થયા તો બીએમસીવાળાએ તેમનુ જીમ તોડી પાડ્યુ.   સૂત્રોનુ માનીએ તો અર્જુનના આ ગેરકાયદેસર રૂપે બનાવેલ જીમની ફરિયાદ કોઈ એક્ટિવિસ્ટે કરી હતી જે એ બિલ્ડિંગમાં નથી રહેતો. 
 
જો કે અર્જુન કપૂર આ મુદ્દે કશુ પણ બોલતા બચી રહ્યા છે.  અર્જુન કપૂર પહેલા કોમેડિયન કપિલ શર્મા પણ ગેરકાયદેસર નિર્માણના કારણે ફસાયા હતા.