શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (11:56 IST)

અજય દેવગનની ફિલ્મ 'શિવાય' ચાલી તો હુ રિવ્યુ કરવાનુ છોડી દઈશ - કમાલ ખાનનું વિવાદસ્પદ નિવેદન

ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને એકવાર ફરી ફિલ્મ 'શિવાય' પર હુમલો કર્યો છે. પણ આ વખતે કમાલ આર ખાને જે કર્યુ છે તેનાથી તેઓ મુસીબતમાં પડી શકે છે. કારણ કે તેમણે ટ્વિટર પર ફિલ્મ 'શિવાય'ના એક સીનની પાઈરેટેડ કોપીને અપલોડ કરી દીધી. ત્યારબાદ તેમણે મામલાની ગંભીરતાને સમજતા તેને ડિલીટ પણ કરી. પણ બોલીવુડ લાઈફ.કોમએ કમાલ આર ખાને ટ્વિટને પકડી લીધી. જેનાથી હવે કમાલ આર ખાન મુસીબતમાં પડી શકે છે. કારણ કે આ પાયરેસી કાયદાનુ ઉલ્લંઘન છે. તો બીજી બાજુ ફિલ્મ 'શિવાય' ની ટીમ પણ કમાલ ખાન વિરુદ્ધ લીગલ એક્શનની તૈયારીમાં લાગી ગયુ છે. હાલ કમાલ એક પછી એક ટ્વિટ કરી હવે સફાઈ આપવામાં લાગી ગયા છે.  
 
એક્શન કિંગ અજય દેવગનની આ ફિલ્મ આજે બોક્સ ઓફિસ પર લાગી ચુકી છે. પણ તેના પહેલા કમાલ આર ખાને પોતાના ટ્વિટર એકાઉંટ પર ફિલ્મની ખામીઓ કાઢવામાં લાગી ગયા છે. કમાલ ખાન ફિલ્મની સ્ટોરીને બતાવીને ટ્વિટ કરી રહ્યા છે અને 'શિવાય'ને સાર્વજનિક રૂપે ચેલેંજ કરી રહ્યા કે  'જો ફિલ્મ 'શિવાય' સોમવાર સુધી પણ બોક્સ ઓફિસ પર ચાલી ગઈ તો હુ આખી જીંદગી ફિલ્મ રિવ્યુ નહી કરુ'.