ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

આજે અમદાવાદમાં નહી જોવા મળે 'રામલીલા'

ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'રામલીલા' આજે રજૂ થઈ રહી છે. પણ અમદાવાદ મલ્ટીપ્લેક્સ માલિકોએ ફિલ્મ 'રામલીલા'ને નહી બતાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતી પુષ્ઠભૂમિ પર બનેલ ફિલ્મ 'રામલીલા'નો ગુજરાતમાં જ અનેક સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
P.R

ફિલ્મ 'રામલીલા' આજે દેશભરમાં રજૂ થઈ રહી છે. બીજી બાજુ ફિલ્મને લઈને ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યુ છે. ગુજરાતના રાજકોટમાં મલ્ટીપ્લેક્સ પર એડવાંસ બુકિંગ કાઉંટર પર લગભગ 15 લોકોએ તોડફોડ કરી. બીજી બાજુ અમદાવાદના મલ્ટીપ્લેક્સ માલિકોના સંગઠને વિવિધ સંગઠનો દ્વારા ફિલ્મ 'રામલીલા'નો વિરોધ કરવાને કારણે શુક્રવારે ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સંજયલીલા ભંસાલીની ફિલ્મ 'રામલીલા' પર હાઈકોર્ટે લગાવેલ રોક હટાવી દેવાઈ છે. કોર્ટની રોક પચેહે સંજય લીલા ભંસાલી ફિલ્મમાંથી એ શબ્દો હટાવવા રાજી થઈ ગયા જેના પર ક્ષેત્રીય સમાજને વાંધો હતો.