આમિર 'તલાશ' ને લઈને ચૂપ કેમ રહેવા માંગે છે ?
વર્ષની બહુવિલબિંત ફિલ્મોમાંની એક 'તલાશ' આખરે 30મી નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આમિર ખાન, રાની મુખર્જી અને કરિના કપૂર અભિનીત આ ફિલ્મ તેની શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. સાંભળવા મળ્યા અનુસાર તો આમિર ખાન અને ફિલ્મની ડાયરેક્ટર રીમા કાગતી વચ્ચે મતભેદો સર્જાયા છે પણ બન્ને જણાએ આ વિશે કંઈ બોલવાની ના પાડી હતી અને કહ્યુ હતું કે તેમની વચ્ચે બધુ બરાબર છે. પોતાના પરફેક્શન માટે જાણીતો આમિર ખાન નથી ઈચ્છતો કે તેની ટીમ એવી કોઈ પણ સ્પષ્ટતા આપે કે આ ફિલ્મ અન્ય ઘણી ફિલ્મોથી પ્રેરિત છે. એક અખબાર સાથે વાત કરતા સૂત્રએ જણાવ્યુ હતું કે, "અફવાઓ ચાલી રહી હોવા છતાં તેણે પોતાની ટીમને કંઈ પણ ન કહેવા માટે સૂચના આપેલી છે. તે ઈચ્છે છે કે બધા અત્યારે ફિલ્મના પ્રમોશન પર ધ્યાન આપે." '
તલાશ'ની સરખામણી તામિલ ફિલ્મ 'અન્નિયાન' અને લિઓનાર્ડો ડિકેપ્રિયોની 'શરટ આઈલેન્ડ' સાથે થઈ રહી છે. જો કે, આમિર નથી ઈચ્છતો કે તેની ટીમ આ વિશે સંબંધિત કોઈ પણ પ્રશ્નનો જવાબ આપે. સૂત્રએ ઉમેર્યું હતું કે, "તે રીમા અને માર્કેટિંગ હેડના સંપર્કમાં છે. તે દરેક વાતની માહિતી રાખી રહ્યો છે. તે ઓક્ટોબરના અંત સુધીમાં ભારત પાછો આવી જશે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ફિલ્મનું પ્રમોશન શરૂ કરશે." હવે જ્યારે આમિર ખાને પોતે આ આદેશ આપ્યો હોવાથી તેની ટીમ પાસે તેને ફોલો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.