આસારામનું પાત્ર ભજવવુ મુશ્કેલ કામ - અર્જુન રામપાલ
.
બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ માને છે કે જો આસારામ બાપૂનો રોલ મળે તો તેમને ખૂબ મહેનત કરવી પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ફિલ્મમેકર પ્રકાશ ઝા એ આસારામ બાપૂથી પ્રેરિત થઈને ફિલ 'સત્સંગ' બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના વિશે અટકળો લગાવાય રહી છે કે એક્ટર અજય દેવગન, અર્જુન રામપાલ કે મનોજ વાજપેઈમાંથી કોઈ એક આસારામની ભૂમિકા ભજવી શકે છે. આ વિશે જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ, 'મને પણ આ સમાચાર વિશે છાપાઓ દ્વારા જાણ થઈ છે.' તેણે હસતા હસતા કહ્યુ, 'મને લાગે છે કે આસારામ બાપૂનુ પાત્ર ભજવવુ મુશ્કેલ રહેશે અને મને ખૂબ જ મહેનત કરવી પડશે.' જાણવા મળ્યુ છે કે 'સત્સંગ' આસારાનની જીંદગી પર તાજેતરમાં નોંધાયેલ અપરાધિક બાબતો પર બનશે.