ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કરીના કપૂર દિલથી વિચારે છે

IFM
કેટલાક લોકો મગજથી વિચારે છે તો કેટલાક દિલથી. કરીના કપૂર ખૂબ જ ભાવુક છે અને તેના મિત્રોનુ કહેવુ છે કે એ દરેક નિર્ણય પોતાના દિલથી કરે છે. પોતાના મિત્રોને મદદ કરવા બાબતે એ કયારેય પાછી નથી પડતી અને શક્ય એટલી મદદ કરવાના પ્રયત્નો કરે છે.

આનુ ઉદાહરણ છે ફિલ્મ 'મે ઔર મિસેજ ખન્ના'. દિવાળી પર આ ફિલ્મ રજૂ થવાની છે, જેમાં સલમાન ખાન સાથે તેની જોડી છે. ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકો મુજબ બંનેની જોડી વચ્ચે ગજબની કેમેસ્ટ્રી છે. જ્યારથી આ ફિલ્મનો પ્રોમો બતાડવામાં આવી રહ્યો છે ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે.

કરીના કપૂરે આ ફિલ્મ મૈત્રી ખાતર કરી છે. સલમાન અને સોહેલ આ ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા છે. કપૂર અને ખાનની મૈત્રી ખૂબ જ જૂની છે. સલમાન અને કરીશ્માએ ઘણી ફિલ્મો એકસાથે કરી છે અને બંને આજે પણ સારા મિત્રો છે. પછી કરીના પણ સલમાનની મિત્ર બની ગઈ. જ્યારે તેણે આ ફિલ્મની ઓફર મળી તો તેના મોંઢામાંથી 'હા' જ નીકળી ગયુ. કરીનાના આ નિર્ણયથી તેની બહેન કરીશ્મા ખૂબ જ ખુશ થઈ.

આ ફિલ્મ કરવાનુ બીજુ એક કારણ છે. નિર્દેશક પ્રેમ સોનીને તે લાંબા સમયથી જાણે છે. પ્રેમ સોનીનો એક નિર્દેશકના રૂપમાં આ પ્રથમ પ્રયત્ન છે. આવા સમયે તેમની મદદ કરવી એ કરીનાએ પોતાનુ કર્તવ્ય સમજ્યુ.. જેને કારણે હવે પરિસ્થિતિ એ છે કે પ્રેમ કરીનાના વખાણ કરવાની કોઈ તક નથી છોડતા.

કરીનાનો આ ફિલ્મમાં મહત્વપૂર્ણ રોલ છે. તે વારંવાર પોતાના મિત્રોને આ ફિલ્મની ચર્ચા કરતા કહે છે કે તેનો રોલ લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.