શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ફક્ત પ્રિયંકાએ પોતાનુ વચન પાળ્યુ

IFM
'જાને કહા સે આઈ હૈ'ના નિર્દેશક મિલાપ ઝવેરીએ ફક્ત એક કે બે શોટ માટે બોલીવુડની ઘણી જાણીતી અભિનેત્રીઓને પસંદ કરી હતી. જેમા કેટરીના કેફ, દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માનો સમાવેશ હતો. આ અભિનેત્રીઓએ મિલાપને વચન આપ્યુ હતુ કે તેઓ તેમની ફિલ્મનો ભાગ જરૂર બનશે. જ્યારે શૂટિંગનો વારો આવ્યો તો પ્રિયંકાને છોડીને બધી અભિનેત્રીઓએ વર્ષો જૂનુ બહાનુ 'ડેટ પ્રોબ્લેમ્બ'નુ બહાનુ બતાવી દીધુ. ફક્ત પ્રિયંકાએ વચન પાળ્યુ.

તેમ છતા મિલાપે આ અભિનેત્રીઓનો પક્ષ લેતા કહ્યુ કે બધાએ થોડા દિવસો પછીની તારીખ આપી, પરંતુ મને ફિલ્મ જલ્દી રજૂ કરવી છે તેથી ઈચ્છવા છતા હુ તેમની ડેટ્સનો ઉપયોગ નથી કરી શકતો.

પ્રિયંકા ચોપડાએ 'અંજાના-અંજાની'ના લાંબા શૂટિંગ પછી યૂએસથી પાછા ફરીને 'જાને કહા સે આઈ હૈ'ના શૂટિંગમાં ભાગ લીધો. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત અક્ષય કુમાર, કરણ જૌહર, ફરાહ ખાન, સાજિદ ખાન, બોમન ઈરાની અને અમૃતા રાવ થોડી સૈકંડ્સ માટે જોવા મળશે.

ફિલ્મમાં રિતેશ દેશમુખ અને જૈકલીન ફર્નાડિસે મુખ્ય ભૂમિકા ભજવી છે.