શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

લગ્ન કરવાથી ગભરાય છે સલમાન !

N.D
પડદા પર વિવિધ રૂપ ભજવવુ તેમના કામનો એક ભાગ છે, પરંતુ સલમાન વાસ્તવિક જીવનમાં પણ ઘણીવાર જુદી જુદી ભૂમિકામાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા તેમના એક ઈંટરવ્યુમાં તેઓ કોઈ સૂફી, કોઈ દાર્શનિકની જેમ વાતો કરતા જોવા મળ્યા. ખાસ કરીને ત્યારે જ્યારે તેમને પૂછવામાં આવ્હ્યુ કે અત્યાર સુધી તેઓ અવિવાહિત જીવન કેમ વીતાવી રહ્યા છે ? જેના પર સલમાને એક ફિલોસોફરની જેમ કહ્યુ - જબ જબ જો-જો હોના હૈ, તબ તબ સો-સો હોકર રહેગા.

તેમણે આગળ કહ્યુ કે ભાગ્ય મને અચંબામાં મુકશે અથવા તો હતપ્રભ કરશે. જો લગ્ન થયુ તો સારુ, નથી થયુ તો પણ ઠીક છે ને. તેમણે લગ્ન પછીની મુસીબતોની વાત પણ કરી. તેઓ કહે છે કે - લગ્ન પછી જુદા જુદા દબાવ હોય છે. બાળકો થવા જોઈએ, આ કરો, પેલુ કરો. આ સાથે સાથે તેઓ છુટાછેડાને પણ એક મોટી સમસ્યા ગણાવે છે, જે સમાજમાં આજે ઝડપથી ફેલાઈ રહી છે.

સલમાનની આવી વાતો સાંભળીને નથી લાગતુ કે તેઓ ખરેખર ફિલોસોફર થઈ ગયા છે. હજુ લગ્નના તો ઠેકાણા નથી, અને ભાઈ બાળકો અને છુટાછેડા સુધીનુ વિચારી રહ્યા છે.