શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

લચ્છુ પુરસ્કાર વડે સમ્માનિત આશા પારેખ

ફિલ્મ અભિનેત્રી આશા પારેખનું કથક નૃત્યના ક્ષેત્રમાં સારા એવા યોગદાન બદલ 'લચ્છુ મહારાજ પુરસ્કાર' વડે સમ્માનિત કરવામાં આવશે.

આ પુરસ્કાર દર વર્ષે કથકના ક્ષેત્રમાં સારૂ એવું યોગદાન આપવા બદલ કથકના ગુરૂ લચ્છુ મહારાજની સ્મૃતિમાં શકુંતલા નીરૂજ નૃત્ય કેન્દ્ર તરફથી અપાય છે.

કેન્દ્રની મુખિયા કુમકુમ આદર્શે જણાવ્યું કે પારેખને પહેલી સપ્ટેમ્બરે આ આ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવશે. તેમને સમ્માન સ્વરૂપ 51 હજાર રોકડા અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવશે. આ સમારોહની મુખ્ય અતિથિ હિમાચલ પ્રદેશની રાજ્યપાલ પ્રભારાવ હશે.